દર વર્ષે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. આ દિવસને કરવાચૌથ કહેવાય છે.
આ વખતે કરવાચૌથ પર 5 વર્ષ બાદ બનશે શુભ સંયોગ
24 ઓકટોબર રવિવારના કરવામાં આવશે કરવાચૌથનો વ્રત
પતિની દીર્ઘાયુષ્ય સાથે લગ્ન જીવનની તમામ સમસ્યાઓ થાય છે દૂર
કરવાચૌથની રાત્રે ચંદ્ર જોઈને ચાયણાથી પતિનો ચહેરો જોયા બાદ મહિલા વ્રત પૂર્ણ કરે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીમાં દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ વર્ષે 24 ઓકટોબર રવિવારના રોજ આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કરવાચૌથ પર આ વખતે 5 વર્ષ બાદ શુભ સંયોગ બનવાનો છે કે કરવાચૌથના વ્રતની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે. આ સિવાય રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુબ પ્રભાવ પણ તેના પર પડશે.
કરવાચૌથના વ્રતનો મહત્વ
કરવાચૌથના વ્રતને લઈ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી માત્ર પતિની દીર્ઘાયુષ્ય સાથે લગ્ન જીવનમાં થતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર કરવાચૌથનો વ્રત કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરિવાર સંકટથી દૂર થાય છે. આ દિવસે માતા પાર્વતી, શિવજી અને કાર્તિકેયની પૂજા કરવાથી શુબ ફળ પ્રાપ્ત થાય છે.
કરવાચૌથની તિથિ અને મુહૂર્ત
કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી આ વખતે 24 ઓકટોબર રવિવારના રોજ આવશે. ચતુર્થી તિથિની શરૂઆત 24 ઓકટોબરના રોજ સવારે 3:01 કલાકે થશે અને તેનું સમાપન 25 ઓકટોબરના રોજ સવારે 5:43 કલાકે થશે.
આવી રીતે કરવી કરવાચૌથના વ્રતની પૂજા
કરવાચૌથના દિવસે સવારે ઊઠીને સારગીનું સેવન કરવામાં આવે છે. ત્યારબાદ સ્નાન કરીને વાડીલનો આશીર્વાદ લઈને વ્રતની શરૂઆત કરવામાં આવે છે. કરવાચૌથનો વ્રત આખો દિવસ નિર્જળા રહીને કરવામાં આવે છે અને ત્યારબાદ સાંજે તુલસીના સમક્ષ બેસીને નિર્જળા વ્રતની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ચંદ્ર નીકળતા પહેલા થાળીમાં ધૂપ-દીપ,રોલી, અક્ષત, પુષ્પ અને મીઠાઈ મૂકવામાં આવે છે. કરવાચૌથના વ્રતમાં અર્ઘ્ય આપવા માટે પાણી ભરવામાં આવે છે અને ત્યારબાદ ચંદ્ર દેખાતા અર્ઘ્ય આપીને ચાયણાથી પતિનો ચેહરો બાદ વ્રત પૂર્ણ કરવામાં આવે છે.