આજ કરવા ચોથનું આજે વ્રત છે. આજે મહિલાઓ ખાસ વ્રત રાખે છે. આ વ્રત મહિલાઓ બહુ જ લગન અને ભક્તિભાવ પુર્વક આ વ્રતની ઉજવણી કરે છે. પરંતુ આ વ્રતની ઉજવણી કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન નહીં રાખે તો નુકશાની ભોગવવા તૈયાર રહેવુ પડશે. આ વ્રત કરતી વખતે નીચેની બોબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
- સુહાગ સામગ્રી જેવી કે બંગડી બિંદી સિંદુર ને કચરામાં ના ફેંકવાં જોઇએ. બંગડી પહેરતી વખતે જો કદાચ તે તુટી જાય તો તેને ફેંકવાને બદલે પુજાઘરમાં મુકી દેવું જોઇએ. અને પોતાના સુહાગની લાંબી ઉમ્ર માંટે પ્રાર્થના કરવી જોઇએ.
- આજના દિવસે પોતના પતિ સિવાય અન્ય કોઇ વ્યક્તિ અંગે વિચાર ના કરવો જોઇએ.
- સિલાઇ કાપકુપ માંટે કાતર સોંઇ અને ચાકુનો ઉપયોગ ના કરવો જોઇએ.
- વ્રતનાં દિવસે આરામ કરવો કોઇનું ખરાબ ઇચ્છવુ જેવા કામ ના કરવા જોઇએ. જો આપ ઇચ્છો તો પૌરાણિક વાતો ભજન કથા નું વાંચન કરી દિવસ પસાર કરવો જોઇએ.
- વ્રત દરમિયાન બિન શાકાહારી ખોરાક ના લેવો જોઇએ. જે પરણિતા આ વ્રત કરતી હોય તે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.