સોમનાથઃ કાર્તિકી પુર્ણીમા(ત્રીપુરારી પુનમ)ના હજારો યાત્રીકોએ ભગવાન સોમનાથની મઘ્યરાત્રીની મહાઆરતી અને દર્શન કરી ધન્ય બન્યા. કૃતિકા નક્ષત્રમાંથી પસાર થતાં ચંદ્ર દેવ સોમનાથ મહાદેવના શિખર પર શોભાયમાન બન્યાની અલૈાકીક ઘટના ભાવીકોએ નીહાળી.
કાર્તિકી પુનમના દિવસે રાત્રીના ૧૨ કલાકે ક્રુતિકા નક્ષત્રમાંથી ચન્દ્રમાં પસાર થાય છે. ત્યારે વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચન્દ્રમાંને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. આ દ્ર્શ્ય અલૌકીક અને અદભુત હોય છે તેમજ ચન્દ્રમાં મહાદેવ ઉપર બીરાજે છે ત્યારે રાત્રીના સોમનાથ મંદિરમાં આરતી થાય છે.
ઇ.સ. ૧૯૫૫થી સોમનાથ મંદીર ખાતે કાર્તિકી પૂર્ણીમાની ઉજવણી થાય છે. જેમાં પાંચ દીવસના લોક મેળનું આયોજન હાથ ઘરાય છે. તેમજ આ પાંચેય દીવસ મોડે સુઘી ભગવાન સોમનાથના દર્શન ભાવીકો માટે ખુલ્લા રાખવામાં આવે છે. કાર્તીકી પૂનમની મઘ્ય રાત્રીના ખાસ મહાપુજા અને મહાઆરતી રાખવામાં આવે છે.
પુરાણ મુજબ દેવોની દીવાળી તરીકે આ રાત્રીની ઉજવણી થાય છે. આ દીવસે ભગવાન શીવજીએ ત્રીપુરા નામના રાક્ષકનો વઘ કર્યો હતો.
કાર્તિકી પુનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચન્દ્રમાં ને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચન્દ્રમાં ભગવાન ભોળાનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષો અનેક શિવભકતો દૂર દૂરથી આ મઘ્યરાત્રીના સોમનાથ ખાતે અચૂક આવે છે.
ખાસ કાર્તીકી પુર્ણીમા મહોત્સવ માટે શ્રી સોમનાથ ટ્રષ્ટ દ્વારા પાંચ દિવસીય સાંસ્ક્રુતીક મેળાનું આયોજન થાય છે. જેની આજ રોજ ભક્તિભાવ પુર્વક મહાઆરતિ બાદ સમાપન કરવામાં આવે છે.