કાર્તિક આર્યન ત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો જ્યારે તેનું નામ કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના 2'માંથી બહાર થઈ ગયું. હવે કાર્તિક ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તેણે કરણ જોહર સાથે જોડાયેલા સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.
કાર્તિક આર્યને તોડી ચુપ્પુ
ફિલ્મ દોસ્તાના 2ને લઈને કહી આ વાત
શું કરણ જોહરે કર્યું ફિલ્મમાંતી તેનું નામ બહાર ?
હાલ કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે કિયારા અડવાણીની સાથે જોવા મળશે. આ દરમિયાન અભિનેતાએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર ફિલ્મ 'દોસ્તાના 2'માં કામ કરવાના હતા પરંતુ બાદમાં કાર્તિક આર્યનને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
કાર્તિક પાસે છે ઘણી ફિલ્મો
કાર્તિકને ફિલ્મમાંથી બહાર કાઢ્યા બાદ કરણ જોહરના પ્રોડક્શન હાઉસે એક નિવેદન જારી કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ આ બાબતે 'મૌન' જાળવવા માંગે છે અને હવે એક ઈન્ટરવ્યૂમાં કાર્તિક આર્યને આ બાબતે પોતાની વાત કહી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ એવા અભિનેતાને મુશ્કેલી આવે જેનું ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી? જેના પર કાર્તિકે કહ્યું, 'હું માત્ર મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. આના પર હું એટલું જ કહેવા માંગુ છું. મારી ફિલ્મોની લાઇન જુઓ.
લોકો રાઈનો પહાડ બનાવે છે
એક ઈન્ટરવ્યુંમાં કાર્તિકને પુછવામાં આવ્યું કે શું બી ટાઉનમાં અંદરના લોકો તેમના કરિયરને ખરાબ કરવા માટે કોઈ લોબી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? આ વાત પર કાર્તિક આર્યને જવાબ આપ્યો કે કોઈની પાસે તે કરવાનો સમય નથી.
તેણે આગળ કહ્યું, ' ક્યારેક ક્યારેક શું થાય છે, લોકો 'રાઈનો પહાડ બનાવે' છે એનાથી વધુ કંઈ નથી. આટલું વિચારવાનો સમય કોઈની પાસે નથી. દરેક વ્યક્તિ માત્ર કામ કરવા માંગે છે. સારું કામ કરવા માંગે છે. આ સિવાય, વસ્તુઓ માત્ર અફવાઓ છે.