કોરોના વાયરસ સામે લડવા અને ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે મોટા ઉદ્યોગપતિઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ અને સાઉથના કલાકારો પણ મન ખોલીને દાન કરી રહ્યાં છે. ત્યારે આ લિસ્ટમાં હવે બોલિવૂડના જાણીતા એક્ટર કાર્તિક આર્યનનું પણ નામ જોડાઈ ગયું છે. કાર્તિકે આ દાનની જાહેરાત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કારી છે.
કોરોના સંકટમાં વધુ એક સ્ટાર મદદ માટે આગળ આવ્યો
આ મહામારીથી ઉગરવા સ્ટાર્સ દિલ ખોલીને દાન આપી રહ્યાં છે
કાર્તિકે ભારતની જનતાની મદદ માટે લગભગ 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તેણે ટ્વિટ કરતાં કહ્યું- એક રાષ્ટ્ર તરીકે આપણાં બધાંએ અત્યારે એકજૂટ થઈને ઊભા રહેવાની જરૂર છે. હું આજે જે કંઈપણ છું, મેં જે પણ કમાણી કરી છે, એ માત્ર ભારતના લોકોને કારણે જ છે અને આપણાં બધાં માટે હું પીએમ રિલીફ ફંડમમાં એક કરોડ રૂપિયા દાન કરી રહ્યો છું. હું મારા તમામ સાથી ભારતીઓને મદદ કરવાની અપીલ કરું છું. કાર્તિક આર્યનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સાથે જ લોકો તેની પર ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે.
It is the absolute need of the hour to rise together as a Nation.
Whatever I am, whatever money I’ve earned, is only because of the people of India; and for us I am contributing Rs. 1 crore to the PM-CARES Fund.
I URGE all my fellow Indians also to help as much as possible 🙏🏻 https://t.co/AzTT3lWHtr
તમને જણાવી દઈએ કે, કોરોના સામેની જંગ લડવા માટે કાર્તિક આર્યન સિવાય અક્ષય કુમાર, વરૂણ ધવન, ભૂષણ કુમાર અને અન્ય અનેક બોલિવૂડ સ્ટાર્સ પૈસા દાન કરી ચૂક્યા છે. જ્યારે કોરોના વાયરસની વાત કરીએ તો ભારતમાં તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1000 પાર કરી ચૂકી છએ અને અત્યાર સુધી કુલ 27 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, 96 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છએ.