'ભૂલ ભુલૈયા 2' પછી કાર્તિકનાં નસીબ ફિલ્મજગતમાં વધુ ચમક્યાં છે. તેમની પાસે પ્રોજેક્ટ્સની લાઇન લાગી ગઇ છે. કાર્તિક આર્યન આજકાલ અનેક નવી ફિલ્મો પર કામ કરી રહ્યાં છે. તેમાંથી 'સત્યાપ્રેમની કથા', 'આશિકી 3', 'પ્યાર કા પંચનામા 3', 'શહજાદે', 'હેરાફેરી 3' સમાવિષ્ટ છે. સાજિદ નડિયાદવાલા અને કબીરખાનની ફિલ્મ 'કેપ્ટન ઇન્ડિયા' પણ કાર્તિક આર્યન પાસે છે.
કાર્તિક આર્યન પાસે ફિલ્મોની લાઇન
અક્ષય કુમારને કર્યા રિપ્લેસ
'ભૂલ ભુલૈયા 2' બાદ 'હેરાફેરી 3' પણ કાર્તિકનાં હાથમાં
હિન્દી ફિલ્મજગતની આયકોનિક ફિલ્મ 'હેરાફેરી 3' આવી રહી છે. ફેન્સ આ ખબર બાદ ઘણાં જ ઉત્સુક છે. વર્ષ 2023માં આ ફિલ્મની શૂટિંગ શરૂ થશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ ચાલી રહી છે. પરેશ રાવલે એક ફેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું તે કાર્તિક આર્યન પણ આ ફિલ્મમાં ભાગ ભજવવાનાં છે. એટલે કે કાર્તિક આર્યને ફરી એકવાર અક્ષય કુમારને રિપ્લેસ કરી દીધેલ છે. આ પહેલા એક્ટરે ' ભૂલ ભુલૈયા 2' ની ફ્રેન્ચાઇઝીમાંથી પણ અક્ષય કુમારને રિપ્લેસ કર્યું હતું. ફિરોજ નડિયાદવાલાએ 'રાજૂ'નાં કેરેક્ટર માટે કાર્તિક આર્યનને લોક કરી દીધેલ છે.
કાર્તિકે કર્યો અક્ષય કુમારને રિપ્લેસ
સૂત્રો અનુસાર ફિલ્મનું નામ 'હેરાફેરી 3' અથવા 'હેરાફેરી રિબૂટ' હશે. જો કે આ બાબત પર અત્યાર સુધી કોઇ કન્ફોર્મેશન આવ્યું નથી. સૂત્રો અનુસાર પેપરવર્ક અને હેન્ડશેક થઇ ચૂક્યાં છે. ફિરોજ નડિયાદવાલાની ઓફિસમાં કાર્તિક આર્યને આયકોનિક રોલ 'રાજૂ'નાં કેરેક્ટર માટે સહી કરી છે. 'હેરાફેરી' અને 'ફિર હેરાફેરી'માં આ કિરદાર અક્ષય કુમારે ભજવ્યો હતો. કાર્તિક આર્યન અને ફિરોજ નડિયાદવાલા બંને ડાયરેક્ટર અનીસ બઝ્મીને સાઇન કરવા તૈયાર છે. ફિલ્મમેકર તરફથી હા આવવાનું બાકી છે.
We Just Can't Imagine #HeraPheri3 Without Our Raju Aka Akshay Kumar 🐐
This Is Reaction Of Every Hera Pheri Fan Right Now 🥲
ફેન્સે કરી અક્ષય કુમારની માંગ
સોશિયલ મીડિયા પર આ ન્યૂઝને લઇને ચર્ચા ચાલી રહી છે. જેમાં ફેન્સનું કહેવું છે કે જો આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં દેખાય તો અમે ફિલ્મ જોશું નહીં. ટ્વિટર પર 'નો અક્ષય, નો હેરાફેરી'નો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જેના પર memes પણ બની રહ્યાં છે. અક્ષય કુમારને બીજી વાર રિપ્લેસ કરતાં ફેન્સ નારાજ થયાં છે.
If Paresh Rawal is A Heart ♥️ of Hera Pheri series then #AkshayKumar is the soul 💜.
Without Akshay #HeraPheri3 will be like a body without soul.
સુનીલ શેટ્ટી અને પરેશ રાવલનો પણ રોલ
માહિતી અનુસાર સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે શ્યામ અને બાબૂરાવનાં જે પહેલેની હેરાફેરીમાં રોલપ્લે કર્યો હતો તે જ રહેશે. બંને પોતાના તે જ રોલને કન્ટિન્યૂ કરશે. જો આ ફિલ્મમાં અનીસ બઝ્મી નક્કી થાય છે તો કાર્તિક આર્યનની સાથે તેમનું આ બીજું કોલાબરેશન રહેશે. આ પહેલાં બંનેની જોડી 'ભૂલ ભુલૈયા 2' માં જોવા મળી હતી.