મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમ અને તેમની પત્ની શ્રીનિધિની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેઓએ કરચોરીના કેસની સુનાવણી નીચલી અદાલતથી વિશેષ કોર્ટમાં સ્થાનાંતરિત કરવાની અપીલ કરી હતી. કોર્ટે આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા કાર્તિ અને શ્રીનિધિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસને શરૂ કરવાની વાત પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર પણ કરી દીધો છે.
કાર્તિ પી ચિદંમ્બમની અરજી કોર્ટે ફગાવી
કોર્ટે તેની સુનવણી વિશેષ કોર્ટમાં ચલાવવાની અરજી ફગાવી
કાર્તિ અને તેની પત્ની પર કર ચોરીનો કેસ છે
હકીકતમાં, આવકવેરા વિભાગનું કહેવું છે કે કાર્તિ અને તેની પત્નીએ વર્ષ 2015-16 દરમિયાન 6.38 કરોડ અને 1.35 કરોડ રૂપિયાની આવક જાહેર કરી નથી. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 2019 ની ચૂંટણીમાં શિવગંગાથી લોકસભા માટે ચૂંટાયેલા કાર્તિ અને તેની પત્નીએ થોડા વર્ષો પહેલા મુત્તુકાદુ નજીકની જમીન વેચી હતી અને તેમાંથી પૈસા મેળવ્યા હતા. પરંતુ તેણે આઈટી રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો નથી. આ સુનાવણી કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી.