કાર્તિક આર્યન હમણા તેઓની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હાલ ચર્ચામાં છે. એ વચ્ચે જ એક એવા સમાચાર આવી રહ્યા છે.જેના જાણીને દર્શકોમાં ખુશીના માહોલ છવાઈ જશે.
કાર્તિક આર્યન હાલ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે
'પ્યાર કા પંચનામા' ની સફળતાએ રાતો રાત તેને સ્ટાર બનાવ્યો
ફિલ્મની સફળતાને જોઈને આગામી સમયમાં તેનાં ભાગ-3 નું શુંટીંગ શરૂ થશે
બોલીવુડ સ્ટાર કાર્તીક આર્યન તેનાં સારા પ્રદર્શનને લઈને લોકોનાં દિલ જીતી લીધા છે. એની છેલ્લી ફિલ્મ " ભૂલ ભૂલૈયા 2" એ બોક્સ ઓફીસ પર ખૂબ સારી કમાણી કરી હતી. દર્શકોને તેનો શાનદાર અભિનય ખૂબ જ ગમ્યો છે. ત્યારે દર્શકોને તેમની આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. એની ફિલ્મની રાહ જોતા દર્શકો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે.
ફિલ્મની સફળતાએ રાતો રાત સ્ટાર બનાવી દીધો
બોવીવુડ સ્ટાર કાર્તિક આર્યને પ્યાર કા પંચનામાંથી બોલીવુડમાં પ્રવેશ કર્યો છે. તે ફિલ્મની સફળતાએ કાર્તિકને રાતો રાત સ્ટાર બનાવી દીધો હતો. ફિલ્મની લોકપ્રિયતાને જોતા ફિલ્મનો બીજો ભાગ પણ રીલીઝ કરવામાં આવ્યો હતો. જેને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે દર્શકો હવે તેમના ત્રીજા ભાગની પણ ચર્ચા કરી રહ્યા છે. ત્યારે દર્શકો માટે ખાસ વાત એ છે કે એક વખત ફરી કાર્તિક આર્યન ત્રીજા ભાગમાં જોવા મળશે.
ડાયરેક્ટર લવ રંજન સાથે કરશે કામ
તમને જણાવી દઈએ કે 'પ્યાર કા પંચનામા' ના ડીરેક્ટર લવ રંજન હતા. મળતી માહિતી મુજબ કાર્તિક આર્યન ફિલ્મ 'પ્યાર કા પંચનામા' નો ત્રીજા ભાગ માટે ડાયરેક્ટર લવ રંજન સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગયો છે. પરંતું હાલ લવ રંજન રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરની ફિલ્મને ડાયરેક્ટ કરવામાં વ્યસ્ત છે. ફિલ્મનું શુંટીંગ શરૂ થતા જ કાર્તીક સાથે કામ શરૂ કરી દેશે.