કરતારપુર કોરિડોર પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની સેનાએ જુઠ્ઠા સાબિત કર્યા છે. સેનાએ ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટને અનિવાર્ય કરી દીધા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે કરતારપુર કોરિડોર આવનાર ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટની જરૂર પડશે.
પાક. સેનાએ ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટને અનિવાર્ય કર્યો
પાક. મેજર જનરલે કહ્યું-કરતારપુર કોરિડોર આવનાર ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી
ઇમરાન ખાને એક નવેમ્બરે કહ્યું હતું, કરતારપુર આવનાર ભારતીયોને પાસપોર્ટની જરુર નથી
આ પહેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને એક નવેમ્બરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે કરતારપુર આવનાર ભારતીયોને પાસપોર્ટની જરુર નથી. માત્ર તેમની પાસે એક કાનૂની દસ્તાવેજ હોવો જોઇએ. તેની સાથે જ ઇમરાન ખાને કહ્યું હતું કે શ્રદ્ધાળુઓને 10 દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની અનિવાર્યતાથી છૂટ આપી દેવામાં આવી છે. ઇમરાનની પાસપોર્ટ છૂટને તેમની સેનાએ જ માનવાથી ઇનકાર કરી દીધો છે.
For Sikhs coming for pilgrimage to Kartarpur from India, I have waived off 2 requirements: i) they wont need a passport - just a valid ID; ii) they no longer have to register 10 days in advance. Also, no fee will be charged on day of inauguration & on Guruji's 550th birthday
ભારતે બુધવારે પાકિસ્તાનને સ્પષ્ટતા કરવા કહ્યું છે કે, કરતારપુર સાહિબ માટે પાસપોર્ટની જરૂર પડશે કે નહીં. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓ સાવચેત છે અને શ્રદ્ધાળુઓને પોતાની સાથે પાસપોર્ટ લઇ જવાનો નિર્દેશ જાહેર કર્યો હતો.