એક અનોખો સંયોગ સર્જાયો છે, બંને ઘટના અલગ અલગ છે પણ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાની સામ્યતા હોવાથી એક યોગાનુયોગ ઉભો થયો છે, આવતીકાલે તા. 9 નવેમ્બર ના રોજ બંને ઐતિહાસિક ઘટનાની ઉજવણી થશે.
ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું
9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢમાં આઝાદીનો સૂર્ય ઉગ્યો
નવાબ મહોબ્બ્ત ખાનજીએ પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય કર્યો હતો
ગુરુનાનકદેવની 550મી જન્મ જ્યંતીના દિવસે તા. 9 નવેમ્બર 2019 ના રોજ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરને ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે. આવતીકાલે તા. 9 નવેમ્બરે જૂનાગઢ પણ પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત થયું હોવાથી આઝાદ દિવસ મનાવશે, ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું ત્યારે જૂનાગઢ પાકિસ્તાનના કબ્જામાં હતું, લગભગ ત્રણ મહિના બાદ આરઝી હકુમતની લડાઈ બાદ અંતે તા.9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢમાં આઝાદીનો સૂર્ય ઉગ્યો હતો.
પાકિસ્તાન સરકાર યજમાન બનીને આ ઉત્સવ ઉજવી રહી છે, ભારતમાંથી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહીત શીખ સમાજના 500થી વધુ અગ્રણી સભ્યોનું એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જઈ રહ્યું છે. લાંબા સમયથી કરતારપુર કોરિડોર નો મુદ્દો ચર્ચામાં છે. અંતે આ અવસર આવી ગયો છે. યોગાનુયોગ કરતારપુર કોરિડોરને ખુલ્લો મુકવાનો દિવસ અને જૂનાગઢનો 72મો આઝાદ દિવસ એક સાથે આવી રહ્યો છે, આવતીકાલે જૂનાગઢ માં પણ આઝાદ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
જૂનાગઢને નવાબ મહોબ્બ્ત ખાનજીએ પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં જૂનાગઢને આઝાદ કરવા આરઝી હકુમતની રચના કરવામાં આવી હતી. સરદાર વલ્લભાઇના કુનેહથી અંતે ફતેહ મળી અને જૂનાગઢ આઝાદ થયું હતું, આઝાદી બાદ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પહેલી જાહેર સભા મળી હતી. આ સ્થળે દરવર્ષે આઝાદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.