ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી કરતારપુરર કોરિડોરને લઇને આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. તેમા કોરિડોર પર ગતિરોધ દૂર કરવાની રણનીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. બંને દેશોના અધિકારી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા સંપન્ન થઇ ચૂકી છે. બેઠકમાં ભારતે પાકિસ્તાન સામે શ્રદ્ધાળુઓને લઇને વીઝા મુક્ત યાત્રાની માંગ કરી છે.
બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (આંતરિક સુરક્ષા) એસસીએલ દાસને જણાવ્યું કે, 'ભારતે ડેરા બાબા નાનક અને આસપાસના વિસ્તારોમાં પૂરને લઇને ચિંતાને પાકિસ્તાનથી અવગત કરાવ્યા. તટવર્તી વિસ્તારોમાં રસ્તા નિર્માણનું કાર્ય પાકિસ્તાન તરફથી પૂર્ણ કરવાનું હતું.' જ્યારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફેસલે કહ્યું છે કે 80 ટકા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતિ બની ગઇ. બાકી મુદ્દાઓના ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે વધુ એક બેઠક કરવાની જરૂર છે.
ભારતની તરફથી પ્રતિનિધિમંડળની એસસીએલ દાસ આગેવાની કરી રહ્યા છે. જ્યારે બેઠકમાં પાકિસ્તાનની તરફથી 20 પ્રતિનિધિ સામેલ રહ્યા. જેમનું નેતૃત્વ મોહમ્મદ ફેસલે કર્યું હતું. જોકે, વરસાદને પગલે વાઘા બોર્ડર પર બેઠક મોડી શરૂ થઇ હતી. પહેલા સવારે 9.30 વાગ્યે બેઠક યોજાવાની હતી.
બેઠક શરૂ થતા પહેલા મીડિયાને સંબોધિત કરતા પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફેસલે કહ્યું કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરને સંચાલિત કરવા માટે પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અને આ દિશામાં સહયોગ કરી રહ્યું છે. ગુરુદ્વારાનું નિર્માણ કાર્ય 70 ટકાથી વધારે પૂર્ણ થઇ ચૂક્યું છે. અમે આશા રાખીએ છીએ કે આજે યોગ્ય દિશામાં ચર્યા થશે.
કરતારપુર કોરિડોર ખોલવાની તારીખ નક્કી છે, તેને 22 નવેમ્બરે ઉજવનારી ગુરુ નાનકની 550મી જયંતી પહેલા શરૂ કરાશે. પંરતુ તૈયારીઓ હજુ બાકી છે. ભારતે તેના ભાગનું કામ પૂર્ણ કર્યું છે પરંતુ હંમેશાની જેમ પાકિસ્તાન સતત નનકના સાહિબમાં પવિત્ર દર્શન મામલે ઢીલ અપનાવી રહ્યું છે. બાધાઓને દૂર કરવાને લઇને બંને દેશોએ આજે વાઘા બોર્ડર પર બેઠક યોજી હતી. પરંતુ જે રીતે પાકિસ્તાન ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. તે સમાધાન તરફ જઇ રહ્યું તેમ લાગી રહ્યું નથી.
Dr Mohammad Faisal, Spokesperson of Ministry of Foreign Affairs Pakistan, at Wagah (Pakistan): Pakistan is fully committed & cooperating to operationalize #KartarpurCorridor. More than 70% of Gurdwara's construction work is completed. We hope to have productive discussion today. pic.twitter.com/zoAEgfHwnK
બેઠકથી ઠીક પહેલા પાકિસ્તાને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાને ત્યાંથી શિખ ગુરુદ્વારા કમિટીથી હટાવ્યો હતો. આ કૂટનીતિક દબાવની મોટી અસર છે. પહેલા વારની વાતચીતમા ભારતે તેને લઇને ચિંતા દર્શાવી હતી. ગોપાલ સિંહ ચાવલા કરતારપુર કોરિડોરની વાર્તા કમિટીનો સભ્ય હતો.
ભારતની ચિંતાઓ
ખાલિસ્તાન સમર્થકોની હાજરી ઉપરાંત ભારતની ઘણી ચિંતાઓ છે. ભારતની માંગ છે કે કરતારપુરમાં એક દિવસમાં 5000 શ્રદ્ધાળુઓને દર્શનની તક આપવામાં આવે. પરંતુ પાકિસ્તાન માત્ર 700 શ્રદ્ધાળુઓના દર્શન પર અટક્યું છે. ભારતની માંગ છે કે કરતારપુર કોરિડોર આખુ વર્ષ ખુલ્લું રહે. પાકિસ્તાન તેના માટે પણ રાજી નથી. ભારત ઇચ્છે છે કે શ્રદ્ધાળુઓ પર કોઇ વીઝા કે ચુકવણી ન લાગે, તેના પર પણ પાકિસ્તાન સહમત નથી. ભારત ઇચ્છે છે કે પ્રવાસી ભારતીયોને પણ તક મળે, પરંતુ પાકિસ્તાન માત્ર ભારતીય શ્રદ્ધાળુઓની જિદ પર અડગ છે.