કરતારપુર કોરિડોર માટે ભારત 23 ઓક્ટોબરે એગ્રીમેન્ટ સાઇન કરશે. ભારતના વિરોધ છતા કોરિડોરના ઉપયોગ માટે પાકિસ્તાન તીર્થ યાત્રાળુઓથી ફી વસૂલશે. યાત્રાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખતા ભારતે એગ્રીમેન્ટ પર સાઇન કરવાનો નિર્ણય લીધો છે.
કરતારપુર કોરિડોર માટે ભારત 23 ઓક્ટોબરે એગ્રીમેન્ટ સાઇન કરશે
ભારતના વિરોધ છતા પાક યાત્રાળુઓ પાસે ફી વસૂલશે
કરતારપુર કોરિડોર માટે તીર્થ યાત્રાળુઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ
કરતારપુર કોરિડોર માટે તીર્થ યાત્રાળુઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 550મી જયંતી માટે શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો 5 નવેમ્બર અને બીજો જત્થો 6 નવેમ્બરે રવાના થશે.
નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (PM Imran Khan) રવિવારે જાહેરાત કરી હતી કે તેમનો દેશ કરતારપુર કોરિડોરને 9 નવેમ્બરે ખોલશે. આ પ્રસ્તાવિત કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાયક (Dera Baba Nayak) ધર્મસ્થળ સાથે જોડશે.
જેથી ભારતીય શ્રદ્ધાળુઓ વિઝા મુક્ત આવી-જઇ શકશે. ગુરુ નાનક દેવજીએ 1522માં કરતારપુર સાહિબની સ્થાપના કરી હતી.