કરતારપુર કૉરિડોરને લઇ આજે ભારત અને પાકિસ્તાનનાં અધિકારીઓની મહત્વની બેઠક યોજાઇ હતી જે પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારતનાં શિખ શ્રદ્ધાળુઓ હવે વગર વિઝાએ આખું વર્ષ કરતારપુર સાહિબનાં દર્શન કરવા જઇ શકશે.
આ કૉરિડોરનાં આધારે ભારતીય મૂળનાં એવાં લોકો કે જેની પાસે OCI (Overseas Citizenship of India) કાર્ડ છે તેઓ પણ કરતારપુર સાહિબનાં દર્શન માટે આવ-જા કરી શકશે. બુધવારનાં રોજ અટારી બોર્ડર પર બંને દેશોનાં પ્રતિનિધિઓની વચ્ચે વાતચીત થઇ. જો કે બે મુદ્દાઓ એવાં રહ્યાં કે જેની પર બંને દેશોની વચ્ચે સહમિત નથી થઇ શકી.
ભારત-પાકિસ્તાનની (India) (Pakistan) વચ્ચે થયેલી સમજૂતી બાદ કરતારપુર કૉરિડોરને (Kartarpur corridor) આધારે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ દર્શન માટે જઇ શકશે. વિશેષ મોકાઓ પર વધારે શ્રદ્ધાળુઓ પણ અહીં પહોંચી શકશે. પાકિસ્તાને ભારતને ભરોસો અપાવ્યો છે કે તે શ્રદ્ધાળુઓની વધારે સંખ્યાને કરતારપુર કૉરિડોર આવવાની પરવાનગી આપવા ઇચ્છે છે.
Attari-Wagah border: The Pakistani team return to their side after India-Pakistan's third meeting regarding Kartarpur corridor, held at Attari today. pic.twitter.com/Sw0eaoTqGk
કરતારપુર કૉરિડોર વર્ષનાં 365 દિવસ ખુલ્લી રહેશે. શ્રદ્ધાળુઓ પાસે આ વિકલ્પ હશે કે તેઓ એકલા જઇ શકશે અથવા તો પછી તેમની પાસે સમૂહમાં જવાની સુવિધા હશે. વ્યવસ્થા અનુસાર શ્રદ્ધાળુ ચાલીને જ અહીં આવશે. બંને પક્ષ બુઢી રાવી નહેર પર પુલ બનાવવા માટે રાજી થઇ ગયા છે.
બુધવારનાં બંને દેશો વચ્ચે થયેલી બેઠકમાં કરતારપુર કૉરિડોરથી ઇમરજન્સી ઇવેક્યુએશન પર પણ ચર્ચા થઇ. બંને દેશ આપાત ઇમરજન્સી ઇવેક્યુએશન પ્રક્રિયા પર રાજી થઇ ગયા છે. ખાસ કરીને તેવાં મોકા માટે જ્યારે મેડિકલ ઇમરજન્સીની હાલત હોય. આ ઉદ્દેશ્યથી બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સની વચ્ચે સીધી જ વાતચીતની વ્યવસ્થા થશે. બંને દેશ કૉરિડોરથી કરતારપુર જનારા યાત્રીઓની જાણકારી ઉપલબ્ધ કરવવાની પ્રક્રિયા પર પણ સહમત થઇ ગયા છે.