સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે કંગના રાનૌત અને શિવસેના વચ્ચેના વિવાદ વધ્યા પછી કરણી સેનાએ બોલિવૂડ અભિનેત્રીને સમર્થન આપ્યું છે. કરણી સેનાએ કહ્યું છે કે તે કંગનાને સુરક્ષિત રીતે મુંબઇ એરપોર્ટથી તેના ઘરે લઈ જશે.
કંગના રાનૌત અને શિવસેના વચ્ચેના વિવાદ
કરણી સેના કંગનાને સુરક્ષા આપશે
ઉલ્લેખનીય છે કે, કંગનાએ કહ્યું છે કે તે 9 સપ્ટેમ્બરે મુંબઇ પહોંચી રહી છે. શિવસેનાના નેતાઓને મળેલી 'ધમકી' જોતાં ગૃહ મંત્રાલયે અભિનેત્રીને 'Y' કેટેગરીની સુરક્ષા આપી છે. આપને જણાવી દઇએ કે, શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે કંગનાને મુંબઈ આવે ત્યારે 'જોઇ લેવાની' ધમકી આપી છે.
કરણી સેના કંગનાને સુરક્ષા આપશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરણી સેનાના જીવન સોલંકીએ કહ્યું હતું કે, ‘કરણી સેના 9 સપ્ટેમ્બરે કંગના રનૌતને ટેકો આપવા માટે મુંબઈ એરપોર્ટ પર ઉપસ્થિત રહેશે. કરણી સેનાના સભ્યો અભિનેત્રીને તેની સુરક્ષા કરતી વખતે એરપોર્ટથી તેના ઘરે લઈ જશે. કરણી સેના મુંબઈમાં કંગનાની સુરક્ષાની જવાબદારી લઈ રહી છે.
મુંબઈની તુલના POK સાથે કરતા છંછેડાયો વિવાદ
આપને જણાવી દઈએ કે કંગનાએ તાજેતરમાં મુંબઈની તુલના પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) સાથે કરી હતી, ત્યારબાદ તે શિવસેનાના નેતાઓના નિશાના હેઠળ આવી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે અભિનેત્રીને મુંબઇ પાછા ફરવાની ચેતવણી આપી છે જે પછી અભિનેત્રીએ આ નિવેદન આપ્યું છે.
કંગનાને મળશે Y કેટેગરી સુરક્ષા
બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતને Y કેટેગરી સુરક્ષા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગનાને Y કેટેગરી સુરક્ષા પુરી પાડી છે. નોંધનીય છે કે, સુશાંતસિંહ રાજપૂત મામલે અવાજ ઉઠાવવાથી લઈને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત અને ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતને મહારાષ્ટ્ર ન આવવા ચેતવણી આપી હતી. જેને પગલે હિમાચલના મુખ્યમંત્રીએ તેને સુરક્ષા આપવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કંગનાના સુરક્ષામાં હવે 11 જવાનો તૈનાત હશે. જેમાં એક અથવા 2 કમાન્ડો અને બાકીના પોલીસકર્મી હશે. 9 સપ્ટેમ્બરે કંગના રનૌત મુંબઈ જવાના છે.જ્યાં તેમને Y કેટેગરી સુરક્ષા મળી જશે.