મધ્ય પ્રદેશના ઈટારસીમાં શુક્રવારે રાત્રે કરણી સેનાના નગર સચિવ 28 વર્ષીય રોહિત સિંહ રાજપૂતની જાહેરમાં ચાકૂના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી.
મધ્ય પ્રદેશના ઈટારસીમાં હત્યાનો બનાવ
કરણી સેનાના નગર સચિવની જાહેરમાં હત્યા
ત્રણ બાઇકસવાર આવીને ચાકુથી કરી હત્યા
મધ્ય પ્રદેશના ઈટારસીમાં શુક્રવારે રાત્રે કરણી સેનાના નગર સચિવ 28 વર્ષીય રોહિત સિંહ રાજપૂતની જાહેરમાં ચાકૂના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી. નગર પાલિકાની સામે થયેલી આ ઘટનામાં તેમના દોસ્ત સચિન પટેલે તેને બચાવવાની કોશિશ કરી ત્યારે તેને પણ ચાકુના ઘા માર્યા હતા. ત્યાર બાદ બન્નેને નજીની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં રોહિત સિંહ રાજપુતને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો, જયારે સચિન પટેલની હાલત ગંભીર છે.
જુના વિવાદોના લીધે હત્યા થઇ
ઈટારસી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આર.એસ.ચૌહાણે જણાવ્યું હતું કે, રોહિતસિંહ રાજપૂતની હત્યા જૂના વિવાદના કારણે કરવામાં આવી હતી. આ હત્યાનો મુખ્ય આરોપી 27 વર્ષીય રાનુ ઉર્ફે રાહુલ છે. પીડિતા અને તેનો મિત્ર મુખ્ય બજાર વિસ્તારમાં એક ચાના સ્ટોલ પાસે ઉભા હતા ત્યારે ત્રણ શખ્સો બાઇક પર આવ્યા હતા અને બોલાચાલી કરી હતી. આ પછી, તેમાંથી એકે અચાનક છરી કાઢીને રોહિત સિંહ રાજપૂત પર અનેક વાર હુમલો કર્યો હતો. જેના કારણે રોહિતનું મોત થયું હતું. ત્રણેય આરોપી રાહુલ રાજપૂત, અંકિત ભટ અને ઇશુ માલવીયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આરોપીનું દબાણ કરેલ મકાન તોડી પાડવામાં આવ્યું
આ ઘટના બાદ એક આરોપી અંકિત ભટનું મકાન એસડીએમ મદન રઘુવંશી, એસડીઓપી મહેન્દ્ર ચૌહાણ અને અન્ય અધિકારીઓની હાજરીમાં જમીન દબાણનું કારણ આગળ ધરીને તોડી પાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય બે આરોપીઓના ઘર પણ તોડી પાડવામાં આવશે.
થોડા સમયમાં ગુનાઓ વધ્યા
પાંચ દિવસ પહેલા આ જ વિસ્તારમાં બેંક કર્મચારી અભિષેક માલવીયને પણ આવરા તત્વોએ માર માર્યો હતો. પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ડો.સીતાશરણ શર્મા તે જ રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને શહેરમાં વધી રહેલા ગુનાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ પહેલા વીજ વિભાગના અધિકારીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં ભાજપના વરિષ્ઠ નેતા શર્માએ પોતાના સમર્થકો સાથે ઈટારસીમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.