બિકાનેર સ્થિત કરણી માતા મંદિરમાં દેવીને ચઢાવવામાં આવતા પ્રસાદ પર પહેલો અધિકાર ઉંદરોનો હોય છે.
આ મંદિરમાં રહે છે 20-25 હજાર ઉંદર
દેવીના સેવક માનવામાં આવે છે ઉંદર
માતા કરણીના મંદિરમાં ઉંદર લગાવે છે ભોગ
શક્તિના મહાપર્વ પર હાલ દેશના ખૂણે-ખૂણામાં સ્થિત પાવન માતાનાા પાવન શક્તિપીઠો અને સિદ્ધપીઠો પર ભક્તો દેવી દર્શન માટે પહોંચી રહ્યા છે. દેવીના તમામ ચમત્કારી મંદિરોમાંથી એક છે બિકાનેર શહેરમાં સ્થિત કરણી માતાનું મંદિર. ચમત્કારોથી ભરેલા લોકોની આપાર શ્રદ્ધાનું આ શક્તિપીઠ બિકાનેર શહેરથી 32 કિમી દૂર દેશનોક ગામમાં છે. માતા કરણીના પાવન ધામની વાત કરીએ તો આ વિશ્વની એકમાત્ર જગ્યા છે. જ્યાં મોટી માત્રામાં ઉંદર જોવા મળે છે.
દેવીના સેવક માનવામાં આવે છે ઉંદર
સનાતન પરંપરામાં ઉંદરને ભલે ગણપતિની સવારી માનવામાં આવે છે પરંતુ આ વિશ્વનું એકમાત્ર દેવી મંદિર છે. જ્યાં ઉંદરનો સંબંધ દેવી સાથે જોડાયેલો છે. આ ઉંદરને કરણી માતાના સેવકના રૂપમાં માનવામાં આવે છે.
ઉંદરને કાબા કહીને બોલાવે છે લોકો
દેશ-દુનિયામાં આ મંદિર ઉંદર મંદિર નામથી પ્રસિદ્ધ છે. મંદિરમાં જોવા મળતા હજારો ઉંદરોને સ્થાનીક લોકો કાબા કહીને બોલાવે છે. જુના મંદિર પ્રાંગણમાં લગભગ 20-25 હજારથી વધારે ઉંદર રહે છે. પરંતુ આશ્ચર્યજનક રૂપથી તે ક્યારેય કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ નુકસાન નથી પહોંચાડતા. આ ઉંદરની વચ્ચે જો કોઈને પણ સફેદ ઉંદર જોવા મળી જાય છે તો માન્યતા છે કે તેની મનોકામના તરત પુરી થઈ જાય છે.
માતા કરણીના મંદિરમાં ઉંદર લગાવે છે ભોગ
માતાને ચઢાવવામાં આવતા પ્રસાદને અહીં ઉંદરો ભોગ લગાવે છે અને લોકો તેને પ્રસાદ માની ગ્રહણ કરે છે. ઉંદર માટે લોકો અહીં એક મોટી પરાતમાં ખાવા માટે મગફળી અને દૂધ જેવી વસ્તુઓ આપે છે. માતાને ચઢાવવામાં આવતા પ્રસાદ પર પહેલો અધિકાર અહીં ઉંદરને હોય છે.
આ રીતે થયું કરણી માતાનું અવતરણ
કરણી માતાના અવતરણ વિશે લોકોમાં માન્યતા છે કે લગભગ સાડા છસ્સો વર્સ પહેલા માતાએ એક ચારણ પરિવારમાં બાલિકા રિધુ બાઈના રૂપમાં જન્મ લિધો હતો. માતાના મંદિરમાં પૂજા અર્ચના પણ ચારણ લોકો દ્વારા જ કરવામાં આવે છે. માન્યતા છે કે કોઈ પણ ચારણના મૃત્યુ બાદ તેનો પુર્નજન્મ કાબા એટલે કે ઉંદરના રૂપમાં થાય છે. બાદમાં તેજ કાબા પોતાના મૃત્યુના બાદ કોઈ ચારણ પરિવારમાં જન્મ લે છે. આજ કારણ છે કે કાબા અથવા કોઈ ઉંદરને મંદિરની અંદર ખૂબ જ આદર સાથે રાખવામાં આવે છે.