કર્ણાટકમાં ચાલી રહેલા રાજકારણ ધમાસણ પર સુપ્રીમ કોર્ટનો નિર્યય આવી ગયો છે. કોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા પર સ્પીકરને ખુલ્લી છૂટ્ટી આપી છે. એવામાં 18 જુલાઇએ કર્ણાટકની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. હવે એમાં ધારાસભ્યોને સામેલ થવાનું છે કે નહીં, આ નિર્ણય એમની પર જ નિર્ભર કરશે.
સુપ્રીમ કોર્ટે કર્ણાટકના 15 ધારસભ્યોની અરજી પર બુધવારે પોતાના નિર્ણય સંભળાવી દીધો છે. નિર્ણયમાં કોર્ટે કહ્યું છે કે વિધાનસભા સ્પીકર ધારસભ્યોના રાજીનામા પર નિર્ણય લે. સાથે જ ધારાસબ્યોને પણ વિધાનસભામાં હાજર હોવાને લઇએ મજબૂર કરી શકાશે નહીં.
જણાવી દઇએ કે આ નિર્ણયથી 14 મહિના પહેલા બનેલી કુમાર સ્વામી સરકારને તગડો ઝટકો લાગી શકે છે. ધારાસભ્યો દ્વારા દાખલ આ અરજીમાં કર્ણાટક વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવાની માંગ કરવામાં આવી હતી.
Karnataka Speaker KR Ramesh Kumar: I will take a decision that in no way will go contrary to the Constitution, the Court and the Lokpal. pic.twitter.com/p0QcgBJkPB
આ મામલે મંગળવારે કોર્ટે તમમા પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. જો કે કુમાર સ્લામી અને વિધાનસભા અધ્યક્ષે બળવાખોરોની અરજી પર વિચાર કરવાને સુપ્રીમ કોર્ટના અધિકાર પર પ્રશ્નો ઊઠાવ્યા હતા. તો બીજી બાજુ બળવાખોર વિધાનસભા અધ્યક્ષ આર રમેશ કુમાર પર આરોપ લગાવી રહ્યા છે કે એ બહુમત ગુમાવી ચુકેલી સરકારને સહારો આપવાનો પ્રયત્ન કરી રહી છે.
બળવાખોર ધારાસભ્યો તરફથી હાજર થયેલા વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગી પીઠથી અનુરોધ કર્યો કે રાજીનામા અને અયોગ્યતાના મુદ્દા પર યથાસ્થિતિી બનાવી રાખવાનો સ્પીકરને નિર્દેશ આપવાના સંબંધી અંતરિમ આદેશ જારી રાખવામાં આવશે. રોહતગીએ કહ્યું કે જો વિધાનસભાની કાર્યવાહી થાય છે તો આ ધારાસભ્યોને વ્હિપના આધાર પર સદનમાં ઉપસ્થિત રહેવાની છૂટ આપવી જોઇએ કારણ કે હાલની સરકાર અલ્પમતમાં છે.