કર્ણાટકના ચિકમંગલૂરમાં રાજ્યના વિધાનસપરિષદના ડેપ્યુટી સ્પીકર એસ. એલ. ધર્મેગૌડાનો મૃતદેહ મળ્યો છે. અહીં કદૂરની પાસે રેલવે ટ્રેક પર પોલીસને તેમનો મૃતદેહ મળ્યો, આ સાથે એક સૂસાઇડ નોટ પણ પ્રાપ્ત થઇ છે. પોલીસ હાલમાં આ અંગે તપાસ કરી રહી છે અને હજુ સુધી આત્મહત્યાની પુષ્ટી કરી નથી.
પ્રાપ્ત મળતી જાણકારી મુજબ JDS નેતા એસ. એલ. ધર્મેગૌડાનો મૃતદેહ ગત રાત્રે અંદાજે 2 વાગે પ્રાપ્ત થયો. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. પાર્ટી તરફ તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને તપાસ અંગે વાત કરવામાં આવી.
આ ઘટનાને લઇને પૂર્વ પ્રધામંત્રી એચ. ડી. દેવગૌડાએ દુઃખ વ્યક્ત કર્યું છે. દેવગૌડાએ કહ્યું કે આ દુઃખ અને આશ્ચર્ય કરનારી વાત છે કે ડેપ્યુટી ચેરમેને આત્મહત્યા કરી લીધી છે. તેઓ શાનદાર માણસ હતા. તેમનું મૃત્યું રાજ્ય માટે મોટુ નુકસાન છે. કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ઉલ્લખેનીય છે કે હાલમાં એસ. એલ ધર્મોગૌડ ઘણા સમાચારોમા આવ્યા હતા જ્યારે સદનમાં વિધાન પરિષદના સેશન દરમિયાન તેમને સ્પીકરની ખુરશી પરથી હટાવામાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ તેમને જબરજસ્તી સ્પીકરની ખુરશી પરથી હટાવ્યાં હતા.
It is shocking to learn the news of Deputy Speaker of State Legislative Council and JDS leader SL Dharmegowda's suicide. He was a calm and decent man. This is a loss of the state: HD Deve Gowda, former PM and JDS leader (File pic) https://t.co/3NHL9rJElzpic.twitter.com/BtdaLzjtwF
કર્ણાટકમાં રાજ્ય વિધાન પરિષદના ઉપાધ્યક્ષ એસ એલ ધર્મગૌડાનો મૃતદેહ ચિકમંગલૂરુના કેડૂરની પાસે એક રેલવે ટ્રેક પર મળ્યો છે. તેમની પાસે એક સુસાઇનોટ પ્રાપ્ત થઇ છે. તેમના નિધન પર પૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ સેક્યુલર (JDs) ના નેતા એચ ડી દેવગૌડાએ કહ્યું, રાજ્ય વિધાન પરિષદના સભાપતિ અને જેડીએસ નેતા એસ એલ ધર્મેગૌડાની આત્મહત્યાના સમાચાર જાણી આશ્ચર્યચકિત થઇ ગયો છું. તેઓ એક શાંત અને સભ્ય મનુષ્ય હતા. આ રાજ્યને ક્યારેય ન ભરાઇ તેવી ક્ષતિ છે.