દિલ્હી અને મહારાષ્ટ્ર કરતા તો કર્ણાટકમાં કોરોનાથી સૌથી વધારે સ્થિતિ ખરાબ બનતા 14 દિવસના ટોટલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
કર્ણાટકમાં 27 એપ્રિલથી 14 દિવસનું ટોટલ લોકડાઉન
27 એપ્રિલથી શરુ થયેલું લોકડાઉન 10 મે સુધી ચાલશે
કર્ણાટક સરકારે જરુરી સેવાઓની છૂટ આપી
કર્ણાટકમાં દિલ્હી-મુંબઈ કરતા વધારે ઝડપી ગતિએ કોરોના ફેલાઈ રહ્યો છે
કર્ણાટક સરકારે 27 એપ્રિલથી 14 દિવસના ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે. 27 એપ્રિલથી શરુ થયેલું લોકડાઉન 10 મે સુધી ચાલશે.
શું ખુલ્લું રહેશે
કર્ણાટક સરકારે જરુરી સેવાઓને મંજૂરી આપી છે. કરિણાયા,શાકભાજી-ફળ તથા જીવન જરુરિયાતની વસ્તુઓની દુકાનોને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ છૂટ આપવામાં આવી છે પરંતુ ગારમેન્ટ્સ સેક્ટરને બંધ કરી દેવાયો આદેશ અપાયો છે.
દિલ્હી અને મુંબઈ કરતા ખરાબ પરિસ્થિતિ-મુખ્યમંત્રી યેદીયુરપ્પા
મુખ્યમંત્રી બીએસ.યેદીયુરપ્પાએ જણાવ્યું કે કર્ણાટકમાં તો દિલ્હી અને મુંબઈ કરતા પણ વધારે ઝડપી ગતિએ કોરોના ફેલાઈ રહ્યો છે તેથી 14 દિવસના લોકડાઉનની સખત જરુર હોવાથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. એક્ટિવ કેસ મામલે કર્ણાટક દેશનું ત્રીજું સૌથી પ્રભાવિત રાજ્ય છે.
દેશમાં ચોવીસ કલાકમાં 3, 54, 531 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કહેરના કારણે રોજ નવો રેકોર્ડ નોધાય છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર રવિવારે એક દિવસમાં કોરોનાનો રેકોર્ડ 3, 54, 531 નવા મામલા મળ્યા છે. આ કોઈ દેશમાં એક દિવસમાં મળનારા વિશ્વના સૌથી વધારે કેસ છે. આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2806 લોકોના મોત થયા છે. આ સંખ્યા દેશમાં એક દિવસમાં મરનારાની સૌથી વધારે છે.
મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ
દેશમાં સતત છઠ્ઠા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. આના કારણે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1 કરોડ 73 લાખ 4 હજાર 308 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 16. 2 ટકા થયા
સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 28 લાખને પાર જતી રહી છે. દેશમાં કુલ સારવાર લઈ રહેલાની સંખ્યા 28 લાખ 7 હજાર 333 છે. જે સંક્રમણના કુલ મામલાના 16.2 ટકા છે.
સાજા થનારાનો દર 82.6 ટકા થયો છે
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 82.6 ટકા રહી ગયો છે. આંકડાના જણાવ્યાનુસાર આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,42,96,640 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.13 ટકા થઈ ગયો છે.