RSS દ્વારા સંચાલિત કરવામાં આવતી એક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાનો નાટક દ્વારા મંચ પર અભિનય કરવાનો મામલો સામે આવ્યો છે. જો કે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે વીડિયો બાદ આ વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. જેને લઇને સ્કૂલ તંત્રની સામે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે.
RSS દ્વારા સંચાલિત સ્કૂલને લઇને નવો વિવાદ
બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાનો મંચ પર નાટક દ્વારા અભિનયસ
સ્કૂલ તંત્રની સામે FIR દાખલ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે આ ઘટના કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના કલ્લાડકા ગામમાં આવેલ શ્રીરામ વિદ્યા કેન્દ્ર હાઇસ્કૂલની છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલના વિદ્યાર્થીઓ વાર્ષિક દિવસના અવસર પર આોજિત કરાયેલા એક કાર્યક્રમમાં મંચ પર નાટક ભજવી રહ્યા છે.
આ દરમિયાન વિદ્યાર્થી બાબરી મસ્જિદના પોસ્ટરને ફાડતા જોવા મળ્યા છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં 'શ્રી રામચંદ્ર ની જય બોલો'ના નારા સંભળાઇ રહ્યાં છે. બાબરી મસ્જિદમા પોસ્ટર ફાડયા બાદ વિદ્યાર્થીઓ તેની જગ્યા પર રામ મંદિરની આકૃતિ દર્શાવી રહ્યાં છે.
જો કે સૌથી આશ્ચર્યજનક વાત એ જોવા મળી હતી કે આ કાર્યક્રમમાં સદાનંદ ગૌડા, પોંડીચેરીના ગર્વનર કિરન બેદી અને કર્ણાટક સરકારના મંત્રી એચ. નાગેશ અને શશિકલા જોલ્લી ઉપસ્થિત હતા.
જો કે આ ઘટના વિરુધ્ધ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સ્કૂલ ઓથોરિટી વિરુધ્ધ કાર્યવાહી કરાવની માગ કરી છે. ભારતીય યૂવા કોંગ્રેસ નેતા વાઇ બી શ્રીવાસ્તવે સ્કૂલ ઓથોરિટી વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ દાખલકરી છે. કોંગ્રેસ દ્વારા સ્કૂલ તંત્ર પર સાંપ્રદાયિકતા અને ધાર્મિક નફરત વધારવાનો આરોપ લગાવ્યો છે.