બેંગાલુરૂઃ કર્ણાટકના ચિકમંગલૌરમાં ભાજપના મહાસચિવ મૌહમ્મદ અનવરની અજાણ્યા શખ્શોદ્વારા ચાકૂ મારીને હત્યા કરી દેવાઈ. ગઈ રાતે જ્યારે તેઓ એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ ચાકૂ મારી તેમની હત્યા કરી હતી.
આ ઘટનાના પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ કમનસીબે તેમને બચાવી શકાયા નહીં અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
તો પોલીસે પણ હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલ તો હત્યારાઓ અંગે કોઈ માહિતી મળી નથી પણ હત્યારાઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પણ એવી આશંકા સેવાઈ રહી છે કે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ શહેરમાં રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં છેલ્લા કેટલાંક સમયમાં RSS કાર્યકર્તાઓ અને ભાજપના સ્થાનિક નેતાઓની હત્યાના મામલામાં વધારો થયો છે.