કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ થયો છે, અહીં એક દિવસમાં કોરોનાના 50 હજારથી વધારે કેસ નોંધાતા ચિંતા વધી છે.
કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ
એક દિવસમાં નોંધાયા 50 હજારથી વધારે કેસ
દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક કેસ
દેશમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક કેસ કર્ણાટકમાં નોંધાયા છે. અહીં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 50,210 કેસ નોંધાયા છે તથા 19 લોકોના મોત થયા છે. રાજ્યમાં આરોગ્ય મંત્રી કે.સુધાકરે જણાવ્યું કે રાજ્યમાં આજે કોરોનાના કેસમા મોટો ઊછાળો આવ્યો છે.
ઓમિક્રોન વેરિયન્ટને લઈને સૌથી મોટા સમાચાર આવ્યાં
ઓમિક્રોન વેરિયન્ટને લઈને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. આખરે જેની રાહ જોતા હવે તે ભય સાચો પડ્યો છે. ભારતમાં હવે ઓમિક્રોન સ્થાનિક સ્તરેથી ફેલાવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળની સંસ્થા INSACOGએ તેના એક લેટેસ્ટ બુલેટિનમાં એવું જણાવ્યું છે કે ભારતમાં હવે ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ (સ્થાનિક સંક્રમણ) શરુ થયો છે. સંસ્થાએ કહ્યું કે દેશના ઘણા મહાનગરોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નવા કેસમાં ઝડપી વધારો આવી રહ્યો છે.
Karnataka reports 50,210 new #COVID19 cases, 22, 842 recoveries, and 19 deaths in the last 24 hours.
સંસ્થા્એ કહ્યું કે ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BA.2 દેશમાં ઘણી જગ્યાએ મળ્યો છે. ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કન્ફર્મ થયો હતો અને 7 અઠવાડિયાની અંદર તે કમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં પહોંચી ગયો. ઓમિક્રોનની આટલી ઝડપી રફતાર ફક્ત ભારતમાં નહીં પણ આખી દુનિયામાં જોવા મળી છે. ઓમિક્રોને તો ડેલ્ટા વેરિયન્ટને પણ પાછળ રાખી દીધો છે.
ભારતમાં હવે ઓમિક્રોન સ્થાનિક સ્તરેથી ફેલાવા લાગ્યો
સંસ્થાએ કહ્યું કે ઓમિક્રોનનો મોટાભાગના કેસ લક્ષણો વગરના છે તેમ છતાં પણ તેનું જોખમ વધી રહ્યું છે અને હવે તે સ્થાનિક સ્તરેથી ફેલાવા લાગ્યો છે.
ક્યારેક પીક આવશે
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં હવે ઓમિક્રોનનું સ્થાનિક સંક્રમણ શરુ થયું છે અને આગામી થોડા દિવસોમાં તે પીક પર પહોંચી જશે અને માર્ચ મહિનામાંથી કોરોના વિદાય થઈ જશે.