દેશમાં હવે ઓમિક્રોનના કેસ પ્રતિદિનના ધોરણે આવી રહ્યાં છે. કર્ણાટકની બે શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના બ્લાસ્ટ થયો છે.
કર્ણાટકની બે સંસ્થામાં નોંધાયા કોરોનાના 33 કેસ
એક સંસ્થામાં ૧૪ અને બીજી સંસ્થામાં ૧૯
યુકેની એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ
ભારતમાં હવે ઓમિક્રોન ફૂલ સ્પીડમાં આવ્યો છે. વિશ્વના બીજા દેશો કરતા ઓમિક્રોન ભારતમાં વધારે વકરી રહ્યો છે. દિનપ્રતિદિન કેસ આવી રહ્યાં હોવાથી ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા ઊભી થઈ છે. કર્ણાટકની બે સંસ્થામાં 33 વિદ્યાર્થીઓ પોઝિટીવ થતા સરકારનું ટેન્શન વધ્યું છે. એક સંસ્થામાં ૧૪ અને બીજી સંસ્થામાં ૧૯ કોરોનાના કેસ કેસ નોંધાયા છે. પરંતુ ચિંતાની સૌથી મોટી વાત એ છે કે તેમાંથી 5 કેસે ઓમિક્રોનના છે. આ ઉપરાંત યુકેની એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
Two cluster outbreaks of COVID have been reported from two educational institutions in Dakshina Kannada today:
નેશનલ કોવિડ-10 સુપરમોડલ સમિતિના પ્રમુખ વિદ્યાસાગરે જણાવ્યું કે ભારતમાં ઓમિક્રોનની ત્રીજી લહેર આવશે પરંતુ તે બીજી કરતા હળવી હશે.ઓમિક્રોન ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવશે તે અંગે હવે નિષ્ણાંતોમાં બેમત રહ્યો નથી. નેશનલ કોવિડ-10 સુપરમોડલ સમિતિના પ્રમુખ વિદ્યાસાગરે કહ્યું કે ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવશે અને ફેબ્રુઆરીમાં પીક પર હશે. તેમણે કહ્યું કે જોકે મોટા પાયા પરની રોગ પ્રતિકાર શક્તિને કારણે ત્રીજી લહેર હળવી રહેશે.
ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો રોજના 14 લાખ કેસ આવી શકે
નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક ડરામણી ચેતવણી આપતા જણાવ્યું કે જો ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો અહીં રોજના 14 લાખ કેસ આવી શકે છે. ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં ફેલાઈ રહેલા ગંભીર કોરોના સંક્રમણને લઈને એક ડરામણી ચેતવણી આપતા પૌલે જણાવ્યું કે જો આપણે બ્રિટનમાં ઓમિક્રોના સંક્રમણની ઝડપ જોઈએ અને ભારતની વસતી સાથે તેની તુલના કરીએ તો ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે દરેક કેસની જિનોમ સિકન્વસિંગ ન થઈ શકે.