કર્ણાટકના કોંગ્રેસ અને જેડીએસના બળવા કરનાર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટમાં બળવો કરનાર ધારાસભ્યોએ કહ્યું કે તે આ મામલાની સુનાવણી આજે અથવા કાલે થાય તેમ ઇચ્છે છે. મામલાની સુનાવણી દરમિયાન બળવો કરનાર ધારાસભ્યોની તરફથી વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે સ્પીકર પોતાના દાયિત્વનું પાલ નહીં કરી રહ્યા. કર્ણાટકમાં આ સમયે અજીબ સ્થિતિ છે.
અમારે જનતા પાસે ફરીવાર જવાનું છે. સુપ્રીમ કોર્ટમાં બળવો કરનાર ધારાસભ્યોએ કહ્યું કે તે મામલાની સુનાવણી આજે અથવા કાલે ઇચ્છે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે જોઇશું કે ક્યારે સુનાવણી કરવામાં આવે છે.
સૂત્રો મુજબ, વિધાસનભા સ્પીકર પર પોતાનું સંવૈધાનિક દાયિત્વ ન નિભાવવા અને તેમના રાજીનામુ મંજૂર કરવામાં વિલંબ કરવાનો આરોપ આ ધારાસભ્યોએ લગાવ્યો છે. સાથે જ સૂત્રોએ બતાવ્યું છે કે ધારાસભ્ય આ મામલાને લઇને CJI રંજન ગોગોઇ સામે રજૂઆત કરશે. ધારાસભ્યોનું કહેવું છે કે રાજનીતિકિ ઉદ્દેશ્યના પગલે સ્પીકર તેમના રાજીનામાને મંજૂર કરી રહ્યા નથી અને અલ્પમતમાં આવેલ જેડીએસ-કોંગ્રેસ સરકારને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.
આ અરજી ગત વર્ષે 2018ના કર્ણાટક વિવાદના મામલે દાખલ કરવામાં આવશે. જેમા રાજ્યપાલે બીજેપીને સરકાર બાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ અરજીને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલો લંબિત છે.
આપને જણાવીએ કે, કર્ણાટકની રાજનીતિમાં ઘમાસાણ મચ્યુ છે. કર્ણાટકના કોંગ્રેસના મંત્રી ડી કે શિવકુમાર (D K Shivakumar) અને જેડીએસ ધારાસભ્યો શિવાલિંગે ગૌડા (Shivalinge Gowda) બુધવારે સ્પેશિયલ ફ્લાઇટથી બેંગાલુરુથી મુંબઇ પહોંચ્યા હતા. બંને નેતા ધારાસભ્યો સાથે મુલાકાત કરવા મુંબઇ પહોંચ્યા હતા. જોકે મુંબઇની જે હોટલમાં ધારાસભ્યો રોકાયા હતા ત્યા સુરક્ષા વધારી દેવાઇ છે.
બીજી તરફ શિવકુમારે એએનઆઇને કહ્યું કે, 'મુંબઇ પુલિસ અને બાકી દળોને તૈનાત થવા દેવાય, તેમને ડ્યૂટી કરવા દેવાય. અમે અમારા મિત્રોને મળવા આવ્યા છીએ. રાજનીતિમાં અમારો જન્મ સાથે થયો હતો અને રાજનીતિમાં અમે સાથે જ મરીશું. એ અમારી પાર્ટીના સભ્યો છે. અમે તેમને મળવા આવ્યા છીએ'.