કર્ણાટક / પેટા ચૂંટણી લડવાની રાહત મળ્યા બાદ 17 બળવાખોર ધારાસભ્યો આજે BJPમાં જોડાશે

Karnataka Rebel MLAs To Join BJP Today

સુપ્રીમ કોર્ટ તરફથી પેટા ચૂંટણી લડવાની રાહત મળતાં આજે તમામ 17 બળવાખોર ધારાસભ્યો BJPમાં જોડાશે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અશ્વથ નારાયણે કહ્યું, ધારાસભ્યો નવી દિલ્હીમાં BJPના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષને મળ્યા અને પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી. હવે આજે સવારે 10.30 વાગ્યે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને પ્રદેશ પ્રમુખ નલીનકુમાર કટિલની હાજરીમાં BJPમાં સામેલ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ