પોલીસે આંદોલનકારીઓને શાંત કરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ અથડામણ દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ પણ થયો હતો.
કર્ણાટકમાં યેદિયુરપ્પાનાં ઘરની બહાર પ્રદર્શન અને પથ્થરમારો
પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ, એક પોલીસકર્મી ઘાયલ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં આરક્ષણ મુદે પ્રદર્શન
કર્ણાટકનાં શિમોગા જિલ્લામાં આરક્ષણનાં મુદાને લઈને 27 માર્ચ એટલે કે લોકોએ આજે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાનાં ઘરની બહાર પ્રદર્શન અને પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે બંજારા સમુદાયનાં હજારો પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરી છે. આ સમુદાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આરક્ષણ પર કર્ણાટક સરકારનાં વર્તમાન નિર્ણયનો વિરોધ કરી રહી છે.
Earlier today, members of #Banjara community attacked senior #BJP leader BS Yediyurappa's house in #Shivamogga demanding to withdraw #Karnataka govt's decision for internal reservation.
આ કારણોસર થઈ રહ્યો છે વિરોધ
પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શિત કરતાં પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. બંજારા સમુદાયનું કહેવું છે કે જે રીતે આરક્ષણની વહેંચણી થઈ છે તેમાં તેમનો ભાગ ઓછો થઈ ગયો છે. પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈનાં પોસ્ટર પણ બાળ્યાં હતાં. કર્ણાટકમાં રાજ્યસરકારનાં અનુસૂચિત જાતિઓની વચ્ચે આંતરિક આરક્ષણ પર એ.જે. સદાશિવ પેનલ આયોગની રિપોર્ટને લાગૂ કરવા માટે કેન્દ્રને ભલામણ કરવાનાં નિર્ણયનાં વિરોધમાં બંજારા સમુદાયે પ્રદર્શન કર્યું.
#WATCH | Karnataka: Protestors were lathicharged by the police in Shivamogga as they were protesting against the implementation of the former Justice Sadashiva Commission's report. pic.twitter.com/eEg4HmpTQ6
પોલીસે કર્યો લાઠીચાર્જ
પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો છે. આ દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયાં છે. અપ્રિય ઘટનાને રોકવા અને શાંતિ જાળવવા માટે શિકારીપુર કસ્બામાં કર્ફ્યૂ લાગૂ પાડવામાં આવ્યો છે. બંજારા સમુદાયનું માનવું છે કે નવી નીતિથી તેમના હિતોને નુક્સાન પહોંચશે અને તેઓ તેની વાપસીની માગ કરી રહ્યાં છે.
Karnataka reservation row
Members of the Banjara community attacked senior BJP leader BS Yediyurappa's house in #Shivamogga demanding to withdraw #Karnataka govt's decision for internal reservation. pic.twitter.com/yT5hTgFLJ9
શું છે આરક્ષણની નવી ટકાવારી?
બસવરાજ બોમ્મઈનાં નેતૃત્વવાળી સરકારે કેન્દ્રને શિક્ષા અને નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે આરક્ષણનાં એક નવા બ્રેકઅપની ભલામણ કરી છે. તેમણે ભલામણ કરી છે કે SC સમુદાય માટે 17% આરક્ષણમાંથી 6% અનુસૂચિત જાતિ લેફ્ટ, 5.5% અનુસૂચિત જાતિ રાઈટ, 4.5% છૂત માટે અને 1% અન્યને ફાળવવામાં આવશે.