કર્ણાટકમાં ગત 11 દિવસોથી જે રાજનીતિક ઘટનાક્રમ ચાલી રહ્યો છે, તેના પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે વિધાનસભામાં સ્પીકરે શું કરવાનું છે તે સુપ્રીમ કોર્ટ નક્કી ન કરે.
આપને જણાવીએ કે પહેલા 10 ધારાસભ્યોએ પોતાનું રાજીનામુ મંજૂર કરવામાં વિલંબને લઇને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. બાદમાં 5 વધુ ધારાસભ્યોએ આ અરજી લઇને સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. આજે તમામ 15 ધારાસભ્યોની અરજી પર એક સાથે સુનાવણી કરવામાં આવશે. સ્પીકરે રાજીનામા પર નિર્ણય લેવા પર સુપ્રીમ કોર્ટ પાસેથી સમય માંગ્યો છે.
શુક્રવારે ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો, એટલે કે કોર્ટના હવે પછીના આદેશ સુધી સ્પીકર ન ધારાસભ્યોના રાજીનામા પર અથવા તેમને અયોગ્ય ઠેરવવા પર કોઇ નિર્ણય લઇ શકે છે. બીજી તરફ બીજેપીના કર્ણાટકના પ્રમુખ બીએસ યેદીયુરપ્પાએ સોમવારે કહ્યું હતું કે આવનાર ચાર-પાંચ દિવસમાં સરકાર બનવાનો પૂર્ણ વિશ્વાસ છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ મુકુલ રોહતગીને પૂછવામાં આવ્યું કે શું ઓર્ડર આપીએ? આ દરમિયાન બળવાખોર ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગીએ કહ્યું કે ધારાસભ્યો કોઇ બ્યૂરોક્રેટ અથવા કોઇ નોકરશાહ નથી. જેથી રાજીનામુ આપવા માટે કોઇ કારણ આપવું પડે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે જો અમે તમારી વાત માનીએ તો, શું અમે સ્પીકરને કોઇ ઓર્ડર આપી શકીએ છીએ? તમે જ બતાવો કે આવામાં અમે શું ઓર્ડર આપી શકીએ છીએ?
મુકુલ રોહતગીએ વિવિધ રાજ્યોના ઉદાહરણ આપ્યા
કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં મુકુલ રોહતગીએ કહ્યું કે, સ્પીકર પોતાની મનમાનીથી રાજીનામુ મંજૂર કરવાની જગ્યાએ અમને અયોગ્ય ઠેરાવી રહ્યા છે. એમણે કહ્યું કે, અયોગ્ય ઠેરાવ્યા બાદ જ્યાં સુધી ફરીથી ચૂંટાઇને ધારાસભ્યો નથી બનતા ત્યાં સુધી કોઇ પણ સરકારમાં મંત્રી બની શકાતું નથી. 6 મહીનાની અંદર પેટા ચૂંટણીમાં બીજી વાર ચૂંટાઇને આવ્યા બાદ જ અયોગ્ય ઠેરાવેલ ધારાસભ્ચ મંત્રી બની શકે છે. બળવાખોર ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગીએ આ દરમિયાન ગોવા, તમિલનાડુ, કેરલ, કર્ણાટક હાઇકોર્ટના કેટલાક ચૂકાદા વિશે જણાવ્યું. જેમા અયોગ્ય ઠેરવવાનું બાદમાં પહેલા ધારાસભ્યોના રાજીનામા પર વિચાર કરવા કહ્યું છે.
કોર્ટ નક્કી ન કરી શકે સ્પીકરે શું કરવું
સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમે એ નક્કી નહીં કરીએ કે વિધાનસભા સ્પીકરે શું કરવું જોઇએ. જોકે અમે માત્ર એ જોઇ શકીએ છીએ કે શું સંવૈધાનિક રૂપે સ્પીકર પહેલા કોઇ મુદ્દા પર નિર્ણય લઇ શકે છે. સીજેઆઇએ કહ્યું કે કોર્ટ એ નક્કી નહીં કરે કે સ્પીકરે શું કરવું જોઇએ.
18 જુલાઇએ થવાનું છે વિધાનસભામાં મતદાન
કર્ણાટકમાં મચેલા રાજનીતિક ઘમાસાણની તસવીર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાફ થશે. ત્યારે 18 જુલાઇએ વિધાનસભામા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થવાનું છે. મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીનો દાવો છે કે તેમની પાસે બહુમત છે. 224 બેઠક વાળી વિધાનસભામાં હાલ કોંગ્રેસ-જેડીએસ પાસે 100 (ધારાસભ્યોનું રાજીનામુ સ્વીકાર થાય છે તો), બીજેપી પાસે 105+ ધારાસભ્યો છે.
બળવાખોર ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગીએ કહ્યું કે જો વ્યક્તિ ધારાસભ્યો નહીં રહેવા ઇચ્છતા તો, તેમને કોઇ ફોર્સ ન કરી શકે. ધારાસભ્યોએ રાજીનામા આપવાનો નિર્ણય કર્યો અને પાછા જનતા વચ્ચે જવાનું નક્કી કર્યું છે. અયોગ્ય ઠેરવવા તેના વિરુદ્ધ ગણાશે. સુનાવણી દરમિયાન મુકુલ રોહતગીએ કહ્યું કે જે ધારાસભ્યોએ અરજી કરી છે જો તેમની માંગ પૂર્ણ થાય છે તો કર્ણાટકની સરકાર તુટી પડશે. સ્પીકર જબરદસ્તી રાજીનામુ રોકી ન શકે. આ દરમિયાન ચીફ જસ્ટિસે મુકુલ રોહતગીને અયોગ્ય કરાર કરવા ના નિયમો વિશે પૂછ્યું હતું.