કર્ણાટક કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો મુંબઇથી ગોવા રવાના થયા છે. અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે જ છે. હાલ તમામ ગોવા જઇ રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતા ડી કે શિવકુમાર ધારાસભ્યોને પાછા લાવવા માટે મુંબઇ રવાના થયા છે.
કર્ણાટકમાં એક પછી એક ઘણા ધારાસભ્યોના રાજીનામા આપવાથી કોંગ્રેસ-JDS ગઠબંધન સરકાર સંકટમાં મુકાઇ છે. સોમવારે એટલે કે આજે અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રી પદે થી રાજીનામુ આપ્યું. બાદમાં કોંગ્રેસના તમામ 21 મંત્રીઓએ પણ મંત્રી પદ છોડી દીધું છે. એઆઇસીસી મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસના મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું છે. મંત્રીમંડળમાં ફેરબદલને લઇને નિર્ણય પાર્ટી પર છોડી દેવો જોઇએ.
કોંગ્રેસ બાદ જેડીએસના પણ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની જેમ જેડીએસના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. નવી કેબિનેટનું જલ્દી જ પૂનર્ગઠન કરવામાં આવશે.
અપક્ષ ધારાસભ્યનું રાજીનામુ
કર્ણાટકના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય એચ. નાગેશે સોમવારે રાજીનામુ આપ્યું અને એચ ડી કુમારસ્વામીની ગઠબંધન સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચીને રાજ્યમાં સત્તારૂઢ જેડીએસ-કોંગ્રેસની સરકારને એક મોટો ઝટકો આપ્યો છે. હાલમાં દ લઘુ ઉદ્યોગ મંત્રી તરીકે મંત્રાલયમાં સામેલ થયેલા નાગેશે રાજભવનમાં રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી અને ત્યાગપત્ર સોપ્યું હતું.
આ પગલુ એ સમાચાર બાદ લેવાયું છે કે જ્યારે ગઠબંધન સરકારના મંત્રીઓથી રાજીનામુ આપનાર અસંતુષ્ટ ધારાસભ્યોને ખાતર પોતાનું પદ છોડવા કહેવામાં આવ્યું છે. રાજીનામુ સ્વીકાર થવા પર સત્તારૂઢ ગઠબંધને પોતાની બહુમતી ગુમાવાની નોબત આવી શકે છે.
વધુ એક ધારાસભ્યની રાજીનામાની ધમકી
આ ઉપરાંત સોમવારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપવાની ધમકી આપી છે. કર્ણાટકના મંત્રી અને બીદર ઉત્તરના ધારાસભ્ય રહીમ મહમૂદ ખાને કહ્યું કે તેમણે
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પોતાની સમસ્યાઓ વિશે સૂચન કર્યું છે.અને ડેપ્યૂટી મુખ્યમંત્રી જી.પરમેશ્વરના નિવાસે બેઠક બાદ નિર્ણય લેવાની વાત કરી છે. કોંગ્રેસના 9 ધારાસભ્યો અને જેડીએસના 3 ધારાસભ્યોએ શનિવારે રાજીનામુ આપ્યું હતું. તેથી સરકાર પર સંકટ મંડરાઇ રહ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહે 1 જૂલાઇએ રાજીનામુ આપ્યું હતું.
રમત અને યુવા સશક્તિકરણ મંત્રી ખાને જણાવ્યું કે, મારા વિભાગને આ વર્ષે માત્ર 15 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું છે અને એ પણ હવે જાહેર કરવામાં આવ્યું છે. આ ફંડમાંથી 13 કરોડ રૂપિયા જૂના બિલો ચૂકાવવામાં પૂર્ણ થશે. બાકી બચેલા 2 કરોડ રૂપિયામાં કર્ણાટક ભરમાં વિભિન્ન પરિયોજનાઓને કેવી રીતે પૂર્ણ કરવામાં આવે? તે બળવો કરનાર સમૂહ સાથે જવા માંગતા નથી પરંતુ સ્થિતિ એમને નિર્ણય લેવા મજબૂર કરી રહી છે.
જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારના વિધાનસભામાં કુલ 118 ધારાસભ્યો છે. તેમા રાજીનામા આપી ચૂકેલા ધારાસભ્યો પણ સામેલ છે. આ 118 ધારાસભ્યોમાં અધ્યક્ષ ઉપરાંત કોંગ્રેસના 78, જેડીએસના 37, બસપાના એક અને બે અપક્ષ ધારાસભ્યો છે. ગૃહમાં ભાજપ 105 ધારાસભ્યો ધરાવે છે જ્યા બહુમતી માટે 113 ધારાસભ્યો જોઇએ. જો રાજીનામુ સ્વીકાર થાય છે તો ગઠબંધનના સભ્યોની સંખ્યા 105 પર આવી જશે. અધ્યક્ષનો પણ એક મત છે.