કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ ધીરે ધીરે અલગ મોડ લઇ રહ્યું છે. બુધવારે (10 જુલાઇ) એ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ બે ધારાસભ્યોના રાજીનામા બાદ રાજીનામા આપનાર ધારાસભ્યોની કુલ સંખ્યા 16 થઇ ગઇ છે.
કોંગ્રેસના એમટીબી નાગરાજ અને કે.સુધાકરે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું છે. બંને ધારાસભ્યોએ રાજીનામા બાદ રાજભવનમાં સ્પીકર આર. રમેશ કુમાર સાથે મુલાકાત કરી છે.
ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યમાં ગઠબંધનવાળી કોંગ્રેસ-જેડીએસ સરકાર તુટી પડવાનો ખતરો મંડરા રહ્યો છે. જોકે, સ્પીકરે અત્યાર સુધીમાં કોઇપણ ધારાસભ્યોના રાજીનામુ સ્વીકાર કર્યું નથી. સ્પીકરે કહ્યું છે કે 'હું રાતો રાત રાજીનામા પર નિર્ણય લઇ શકતો નથી. હું તેને 17 તારીખ સુધી સમય આપ્યો છે. હું નક્કી પ્રક્રિયા અને નિયમો હેઠળ જ રાજીનામાને સ્વીકાર કરીશ'.
બીજી તરફ જેડીએસના એક ધારાસભ્ય એરપોર્ટ પર બીજેપી નેતા સાથે સૂટકેસ સાથે જોવા મળ્યા છે. જેડીએસ ધારાસભ્ય શ્રીનિવાસ ગૌડાને બેંગ્લૂરૂ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં એક સૂટકેસ પણ હતી. તેમની સાથે કર્ણાટકર બીજેપી યૂથ વિંગના જનરલ સેક્રેટરી બીવાઇ વિજયેન્દ્ર પણ હાજર હતા. વિજયેન્દ્ર બીજેપીના કર્ણાટકના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાના પુત્ર છે.