કર્ણાટમાં કોંગ્રેસ અને JDSની ગઠબંધન સરકારની મુશ્કેલીઓ વધતી જ જઇ રહી છે. હવે કર્ણાટકના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય એચ.નાગેશે સોમવારે પોતાનું રાજીનામુ આપી દીધું છે. અને એચ.ડી. કુમાર સ્વામીના નેતૃત્વ વાળી ગઠબંધન સરકારથી સમર્થન પાછું ખેંચીને રાજ્યમાં સત્તારૂઢ જેડીએસ-કોંગ્રેસની સરકારને વધુ એક ઝટકો આપ્યો છે.
હાલમાં જ લઘુ ઉદ્યોગ મંત્રી તરિકે મંત્રાલયમાં સામેલ કરવામાં આવેલા નાગેશને રાજભવનમાં રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી અને ત્યાગપત્ર સોંપ્યું છે. આ પગલુ એ સમાચાર વચ્ચે ઉઠાવવામાં આવ્યું છે જે હેઠળ ગઠબંધન સરકારના મંત્રીઓથી રાજીનામા આપનાર અસંતુષ્ઠ ધારાસભ્યોને કારણે પોતાનું પદ છોડવા કહેવામાં આવ્યું છે. રાજીનામુ સ્વીકાર થશે તો સત્તારુઢ ગઠબંધનને પોતાની બહુમતી ખોઇ શકે છે.
આપને જણાવીએ કે, નાગેશના સમર્થન પાછા ખેંચ્યા બાદ વિધાનસભામાં અધ્યક્ષ ઉપરાંત જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારના કુલ 117 સભ્યો (કોંગ્રેસ-78, જેડીએસ-37, બસપા-1 અને અપક્ષ-1) છે. ગૃહમાં ભાજપના 105 સભ્યો છે. જ્યાં બહુમતી માટે 113નો આંકડો હોવો જરૂરી છે. જો ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર થાય છે તો ગઠબંધનના સભ્યોની સંખ્યા ઘટીને 104 પર પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ પર સંકટના વાદળ ઘેરાયાં છે. શનિવારે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ ત્યારે જોવા મળ્યો જ્યારે કોંગ્રેસ-જેડીએસના કુલ 13 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. હવે વિધાનસભા અધ્યક્ષ મંગળવારે આ ધારાસભ્યોના રાજીનામાંનો સ્વીકાર કરવો કે નહીં તે અંગે વિચાર કરશે.