કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટ વધતુ જઇ રહ્યું છે. ગઠબંધન સરકારમાંથી 13 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યાં છે. જેમાંથી 11 ધારાસભ્યો મુંબઇની એક હોટલમાં રોકાયા છે. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં 10 કોંગ્રેસ અને 3 જનતા દળ યૂનાઇટેડ (જેડીએસ)નાં છે. કર્ણાટકની 225 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન સરકારનાં પક્ષમાં 118 ધારાસભ્ય હતાં. આ સંખ્યા બહુમત માટે જરૂરી 113થી પાંચ ઘણી હતી. જેમાં કોંગ્રેસનાં 79 ધારાસભ્ય (વિધાનસભા અધ્યક્ષ સહિત), જેડીએસનાં 37 અને ત્રણ અન્ય ધારાસભ્ય શામેલ રહ્યાં છે.
કર્ણાટકમાં (Karnataka) કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટ વધતુ જઇ રહ્યું છે. ગઠબંધન (Coalitions) સરકારમાંથી 13 ધારાસભ્યો રાજીનામું (resign) આપી ચૂક્યાં છે. જેમાંથી 11 ધારાસભ્યો મુંબઇની એક હોટલમાં રોકાયા છે. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં 10 કોંગ્રેસ અને 3 જનતા દળ યૂનાઇટેડ (જેડીએસ)નાં છે. આ ધારાસભ્યોનાં રાજીનામાને કારણ કર્ણાટક વિધાનસભાનાં સમીકરણ પૂરી રીતે બદલતું દેખાઇ રહ્યું છે.
જો કે, હજી સુધી રાજીનામા સ્વીકાર નથી થયા, પરંતુ બાગી ધારાસભ્યોનાં વર્તન જોઇને આશંકાઓ ઘેરાવા લાગી છે. જો કે, સમીકરણ બની રહ્યાં છે કે જેમાં બીજેપી બહુમતનાં આંકડાથી લગભગ એક જ પગલાનું અંતર છે. 13 ધારાસભ્યોનાં રાજીનામા બાદ વિધાનસભાનું સમીકરણ બતાવે છે જો નારાજ ધારાસભ્ય નહીં માને તો બીજેપીને માટે રસ્તા ખૂબ આસાન થઇ જશે.
(IMG Credit: jansatta)
આ છે નંબર ગેમઃ
કર્ણાટકની 225 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન સરકારનાં પક્ષમાં 118 ધારાસભ્ય હતાં. આ સંખ્યા બહુમત માટે જરૂરી 113થી પાંચ ઘણી હતી. જેમાં કોંગ્રેસનાં 79 ધારાસભ્ય (વિધાનસભા અધ્યક્ષ સહિત), જેડીએસનાં 37 અને ત્રણ અન્ય ધારાસભ્ય શામેલ રહ્યાં છે. ત્રણ અન્ય ધારાસભ્યોમાં એક બહુજન સમાજ પાર્ટી (બસપા)થી, એક કર્ણાટક પ્રગ્ન્યવંથા જનતા પાર્ટી (કેપીજેપી)થી વધુ એક નિર્દલીય ધારાસભ્ય છે. વિપક્ષમાં બેઠેલ બીજેપીની પાસે 105 ધારાસભ્ય છે.
જેડીએસનાં 37 ધારાસભ્ય છે અને તેનાં 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. હવે તેનાં સભ્યોની સંખ્યા 34 થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસનાં કુલ 80 ધારાસભ્ય થઇ ગયા હતાં. જેમાંથી 10એ ધારાસભ્ય આપ્યું છે. (જેમાં આનંદસિંહનું રાજીનામું પણ શામેલ છે.) તો તેમનાં ધારાસભ્ય 70 થઇ ગયા છે. જેમાં સ્પીકર પણ શામેલ છે. બસપા અને નિર્દલીયનાં એક-એક ધારાસભ્ય છે. કોંગ્રેસ અને જેડીએસ મિલાવીને હવે 106 ધારાસભ્ય છે. જેમાં બસપા અને નિર્દલીય ધારાસભ્ય પણ શામેલ છે. એટલે કે કોંગ્રેસ-જેડીએસ સરકારની પાસે બીજેપીથી માત્ર 1 ધારાસભ્ય વધારે છે.
જો કે બસપા અને નિર્દલીય ધારાસભ્યનું કહેવું છે કે તેઓ ગઠબંધન સરકારની સાથે છે. વર્તમાન હાલતમાં આ બંને ધારાસભ્યોની ભૂમિકા મહત્વની થઇ ગઇ છે. 224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં 13 ધારાસભ્યોનાં રાજીનામા બાદ સભ્યોની સંખ્યા 211 થઇ ગઇ છે. પરંતુ સ્પીકર તેમનું રાજીનામું મંજૂર કરવામાં સમય લઇ શકે છે. જો સ્પીકર રાજીનામું મંજૂર કરે છે તો કુમારસ્વામી સરકાર અલ્પમતમાં આવી જશે અને તે ફ્લોર ટેસ્ટ પાસ નહીં કરી શકે.