રાજનીતિ / કર્ણાટકમાં 13 ધારાસભ્યોનાં રાજીનામા, વધુ એક વિકેટ પડતા જ બીજેપીની બહુમતી

Karnataka political crisis bjp congress janata dal secular coalition govt

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટ વધતુ જઇ રહ્યું છે. ગઠબંધન સરકારમાંથી 13 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યાં છે. જેમાંથી 11 ધારાસભ્યો મુંબઇની એક હોટલમાં રોકાયા છે. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં 10 કોંગ્રેસ અને 3 જનતા દળ યૂનાઇટેડ (જેડીએસ)નાં છે. કર્ણાટકની 225 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન સરકારનાં પક્ષમાં 118 ધારાસભ્ય હતાં. આ સંખ્યા બહુમત માટે જરૂરી 113થી પાંચ ઘણી હતી. જેમાં કોંગ્રેસનાં 79 ધારાસભ્ય (વિધાનસભા અધ્યક્ષ સહિત), જેડીએસનાં 37 અને ત્રણ અન્ય ધારાસભ્ય શામેલ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ