કર્ણાટકના શિવમોગામાં કેટલાક લોકોએ વીર સાવરકરના પોસ્ટરો દૂર કરી ટીપુ સુલતાનના પોસ્ટરો લગાવવાનો પ્રયાસ કર્યો, જેના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ બન્યો હતો. સમગ્ર મામલો અમીર અહેમદ સર્કલનો છે. લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલમાં સમગ્ર શિવમોગા નગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે.
ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ
કર્ણાટકના શિવમોગા જિલ્લામાં RSSના વિચારક વીડી સાવરકરની છબી વાળા બેનરને લઈને બે જૂથો વચ્ચે થયેલી અથડામણને પગલે વહીવટીતંત્રે મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. લડાઈમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, અમીર અહેમદ સર્કલ પર સાવરકરનું બેનર હટાવી ટીપુ સુલતાનનું બેનર લગાવવાની કોશિશ કરી, એક ચોક્કસ સમુદાયના લોકોએ હિન્દુત્વવાદી કાર્યકરોનો વિરોધ કર્યો હતો.જે બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો. હુમલાની આ ઘટના દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.રાજ્યગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્ર શિવમોગા પહોંચી સ્થિતિ પર ચર્ચા કરી જરૂરી આદેશ આપી રહ્યા છે.
Shivamogga, Karnataka | Section 144 of the CrPC imposed after a group of Tipu Sultan followers tried to remove banners of VD Savarkar to install Tipu Sultan's banners in the Ameer Ahmad circle of the city. pic.twitter.com/rwyHdtnX1k
આ પહેલા 'હર ઘર ત્રિરંગા'ની જાહેરાતને લઈને વિવાદ થયો હતો
નોંધનીય છે કે અગાઉ કર્ણાટક સરકારની 'હર ઘર ત્રિરંગા'ની જાહેરાતને લઈને વિવાદ થયો હતો. કર્ણાટક સરકારે પીએમ મોદીના 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીને અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી હતી. આ જાહેરાતમાં દેશની આઝાદીમાં મોટી ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે રાજ્ય સરકારની આ જાહેરાતમાંથી દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ગાયબ હતા, જ્યારે વિનાયક સાવરકરને તેમની જગ્યા આપવામાં આવી હતી.