સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભા સ્પીકરને મંગળવાર સુધીમાં બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અથવા નિલંબન પર કોઇપણ પ્રકારનો નિર્ણય લેવા પર રોક લગાવી દીધી છે. પરંતુ આ દરમિયાન મુખ્યમંત્રી કુમારાસ્વામીએ ગૃહમાં એ કહીને સૌને ચોંકાવી દીધા કે તે વિશ્વાસ મત હાંસલ કરવા તૈયાર છે. તેમના આ કહેતા જ બીજેપીએ પોતાના ધારાસભ્યોને હોટલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જેથી તેમની ખરીદી કરતા રોકી શકાય.
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અને વિપક્ષી દળ બીજેપી વિધાનસભામાં સંભાવિત વિશ્વાસ મત પહેલા પોતાના ધારાસભ્યો પર નજર રાખી રહ્યા છે. એમણે ધારાસભ્યોની ખરીદીની આશંકા છે. કોંગ્રેસના 79 ધારાસભ્યોમાંથી 13 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામા આપ્યા છે.
કોંગ્રેસે પોતાના લગભગ 50 ધારાસભ્યોને નગરના બહારના વિસ્થાર સ્થિતિ ક્લાર્ક એક્જોટિકા કન્વેન્શન રિસોર્ટ મોકલી દીધા છે. સિદ્ધારમૈયા, ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વર અને અન્ય મંત્રી નગર સ્થિત પોતાના આવાસમાં રોકાયા છે.
બેંગલુરૂની બહાર અને આસપાસના વિસ્તારના વિધાનસભા ક્ષેત્રોથી આવનાર ધારાસભ્યોને રિસોર્ટ મોકલવામાં આવ્યા છે. જોકે, કેટલાક ધારાસભ્યો વિધાનસભા ભવનની પાછળ સિટી સેન્ટર સ્થિત રોકાયા છે.
જનતા દળ સેક્યૂલર પણ નદીં પહાડીના પાસે ગોલ્ફશાયર રિસોર્ટમાં પોતાના લગભગ 30 ધારાસભ્યો પર નજર બનાવી રાખી છે. જેડીએસે ત્રણ ધારાસભ્યોના રાજીનામા આપી 6 જુલાઇએ મુંબઇ સુધી ગયા બાદ 7 જુલાઇથી આ ધારાસભ્યો રિસોર્ટમાં રોકાયા છે.
બીજેપી પણ શુક્રવારે પોતાના તમામ ધારાસભ્યોને બેંગલુરુના પાસે સ્થિત એક રિસોર્ટમાં રાખવાનો નિર્ણય લીધો છે. ભાજપ પ્રવક્તા જી. મધુસુધને જણાવ્યું કે, 'અમે અમારા ધારાસભ્યોને એક રિસોર્ટમાં મોકલવા પડ્યા છે જેથી તેમને એક જગ્યાએ પરામર્શ પર વિચાર વિમર્શ કરી શકાય છે. અને કોંગ્રેસ અને જેડીએસની કોઇપણ નેતા સાથે વાતચીત કરવાથી રોકી શકાય'.
અધ્યક્ષ ઉપરાંત સત્તારૂઢ ગઠબંધનની કુલ સંખ્યા 116 (કોંગ્રેસ-78, જેડીએસ -37, બસપા -1) છે. બે અપક્ષ ઉમેદવારનું પણ સરકારને સમર્થન પ્રાપ્ત હતું. પરંતુ એમણે સોમવારે મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. બીજી તરફ, ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. 224 સભ્યોના ગૃહમાં બહુમતી માટે 113 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.
જો 16 ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવામાં આવે છે તો, ગઠબંધનની સંખ્યા ઘટીને 100 રહી જશે.
આ પહેલા શુક્રવારે તમામની નજર સુપ્રીમ કોર્ટ પર ટકી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ મુજબ કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે 10 બળવાખોર ધારાસભ્યોથી મુલાકાત કરી પરંતુ તેમના રાજીનામા પર નિર્ણય ન લીધો. કોર્ટને જણાવ્યું કે, તેમને નિર્ણય કરવા માટે વધુ સમય આપવામાં આવે.
જ્યારે સીએમ કુમારસ્વામીના વકીલે કહ્યું કે કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહોતો. કર્ણાટકના ચીફ મિનિસ્ટર તરફથી રાજીવ ધવનને સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર સુનાવણી યોગ્ય નથી. આ અરજીમાં એક પણ શબ્દ એવો નથી કે જેના પર આર્ટિકલ 32 હેઠળ સુનાવણી કરવામાં આવે.
એ બાદ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અથવા તેમના વિરુદ્ધ પાર્ટી બદલી કાનૂન હેઠળ કાર્યવાહી પર મંગળવારે સુધી રોક લગાવી દીધી. હવે કોર્ટ મંગળવારે પહેલા પોતાના અને વિધાનસબા અધ્યક્ષની સીમાઓ નક્કી કરશે.