કર્ણાટકમાં ભારતીય જનતા યુવા મોર્ચાના એક કાર્યકર્તાની હત્યા બાદ આ કેસની તપાસ NIAને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે ત્યાંના શિક્ષણમંત્રીએ એવી પણ વાત કહી છે કે, તેઓ યોગી મોડલ અપનાવામાં પાછી પાની કરશે નહીં.
કર્ણાટકમાં ભાજપ નેતાની હત્યા બાદ હોબાળો
સીએમ આ કેસની તપાસ NIAને સોંપવાનો નિર્ણય કર્યો
કર્ણાટક સરકારના મંત્રીએ યોગી મોડલ અપનાવવાનો દાવો કર્યો
કર્ણાટકમાં ભારતીય જનતા યુવા મોર્ચાના એક કાર્યકર્તાની હત્યા બાદ હોબાળો થયો છે. આ મામલામાં સીએમ બસવરાજ બોમ્મઈએ શુક્રવારે કહ્યું કે, ભાજપ કાર્યકર્તાની હત્યાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવશે. આ અગાઉ તેમણે આ મામલે ગુરૂવારે કહ્યું હતું કે, તે સાંપ્રદાયિક તાકતોને રોકવા માટે જરૂર પડશે તો યોગી મોડલ પણ અપનાવી શકે છે. તો વળી તેમના એક મંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, અમે યોગી મોડલ કરતા પાંચ ડગલા આગળ છીએ અને જરૂર પડશે તો સરકાર એન્કાઉંટર કરવામાં પણ પાછીપાની કરશે નહીં.
Karnataka Police took out a route march in Mangaluru's Surathkal area after a youth was hacked to death by unidentified people here yesterday
I assure people that the accused will be arrested soon. We're making our best efforts to bring normalcy: N Shashi Kumar, CP Mangaluru pic.twitter.com/zQXzq9OMsV
કર્ણાટક સરકારમાં શિક્ષણમંત્રી સીએન અશ્વથ નારાયણે કહ્યું કે, દોષિતોને જલ્દી પકડી પાડવામાં આવશે અને જરૂર પડશે તો એન્કાઉંટર પણ કરી દેવામાં આવશે. આ અગાઉ બોમ્મઈએ પત્રકારોને કહ્યું હતું કે અમે આ કેસની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય કર્યો છે. ગૃહવિભાગને આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે આ એક આંતર રાજ્ય (કર્ણાટક અને કેરલ) કેસ છે. એટલા માટે આ કેસની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય કર્યો છે. ભાજપના યુવા મોર્ચાના સભ્ય પ્રવીણ નેત્તારુની હત્યાના મામલેમાં શુક્રવારે વધુ એક આરોપીની ધરપકડ થઈ છે.
Time has come for encounters. We will ensure that there will be no murders in future like this. In the coming days, we will take action in such a way that people who indulge in these kinds of killing will be scared: Karnataka Minister C Ashwathnarayan pic.twitter.com/YbB5LTSSKK
આ અગાઉ ગુરૂવારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. નેત્તારુની બેલ્લારીમાં તની દુકાનની સામે મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. કર્ણાટક પોલીસે ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના નેતા પ્રવીણ નેત્તારુની હત્યાના કેસમાં ગુરૂવારે દક્ષિણ કન્નડ જિલ્લામાંથી બે લોકોની ધરપકડ કરી હતી.