કર્ણાટકમાં પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપ પોતાની રણનીતિ બદલી શકે છે. જેમાં કર્ણાટકમાં વધુ બે DyCM બની શકે છે. એટલે કે આગામી સમયમાં કર્ણાટકમાં 5 DyCM જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ યેદિયુરપ્પા ટુંક સમયમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કરવાના છે. કેબિનેટમાં પહેલાથી જ ત્રણ મુખ્યમંત્રી ગોવિંદ કાર્જોલ, સીએન અશ્વથનારાયણ અને લક્ષ્મણ સાવાદી છે. 9 ડિસેમ્બરે પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર નેતાઓના કારણે ભાજપ 12 સીટ જીતવામાં સફળ રહી હતી. જેમાંથી મોટાભાગના જીતેલા ઉમેદવારને મંત્રી બનાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
કર્ણાટક કેબિનેટનો થઈ શકે છે વિસ્તાર
બે નવા ઉપમુખ્યમંત્રી બની શકે છે
મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કરી શકે છે કેબિનેટનો વિસ્તાર
કર્ણાટકમાં બે નવા ઉપમુખ્યમંત્રી બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા તેમના કેબિનેટનો વિસ્તાર કરવાના છે. 20 ડિસેમ્બર પછી તેની જાહેરાત થઈ શકે છે. કેબિનેટમાં પહેલાથી જ 3 ઉપમુખ્યમંત્રી તરીકે ગોવિંદ કાર્જોલ, સીએન અશ્વથનારાયણ અને લક્ષ્મણ સાવાદી છે.
સાવાદીએ કરી ચર્ચાને નકારી
સાવાદીએ તેને મીડિયાની અટકળો ગણાવી હતી અને આ માટેની કોઈ પણ ચર્ચાની મનાઈ કરી હતી. આ સાથે જ સાવાદીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વનો જે પણ નિર્ણય હશે તે અમે માનીશું. જો કે 9 ડિસેમ્બરે થયેલી પેટાચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ અને જદએસના બાગી નેતાઓના કારણે ભાજપને 12 સીટ જીતવામાં સફળતા મળી હતી. તેમાં મોટાભાગનાનું મંત્રી બનવું નિશ્ચિત છે. પાર્ટીની અંદર ચાલી રહેલી ચર્ચાઓના અનુસાર પેટાચૂંટણીમાં ગોકાકથી વિધાયક પસંદ કરવામાં આવ્યા. રમેશ જર્કિહોલી ડેપ્યુટી સીએમ પદના પ્રમુખ દાવેદારોમાંના એક છે. આ સિવાય શ્રી રામુલુ પણ અનેક વાર આ પદ માટે દાવેદારી કરી ચૂક્યા છે.