21 જાન્યુઆરીની રાતે થયેલો વિસ્ફોટ એટલો તો ભયાનક હતો કે અનેક ઘરના કાચ તૂટી ગયા હતા. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. પોલીસના અનુસાર વિસ્ફોટક ડાઈનામાઈટ હોવાનું જાણવા મળ્યું છે.
કર્ણાટકના શિમોગામાં થયો બ્લાસ્ટ
વિસ્ફોટક ડાઈનામાઈટ હોવાનું જાણવા મળ્યું
ઘરના કાચ તૂટ્યા અને થયા 8 લોકોના મોત
કર્ણાટકના શિમોગા જિલ્લામાં મોડી રાતે એક મોટો અવાજ સંભળાયો. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે અનેક ઘરની બારીઓના કાચ તૂટ્યા અને સાથે ડાઈનામાઈટ વિસ્ફોટની ઘટનામાં 8 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. પોલીસના ખાસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા છે.
શિમોગાના અધિકારીએ આપ્યું નિવેદન
શિમોગાના જિલ્લા અધિકારીએ કહ્યું કે ગભરાવવાની કોઈ વાત નથી. અમે એલર્ટ થીએ અને સાથે અમે નથી જાણતા કે ત્યાં ડાઈનામાઈટ છે. આ વિસ્તારને ઘેરી લેવાયો છે. એડિશનલ ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે વિસ્ફોટ શહેરથી 5-6 કિમી દૂર થયો છે. આ સંબંધમાં કર્ણાટકના એડીજીપી પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે વિસ્ફોટની ઘટના શિમોગા ગ્રામીણ વિસ્તારમાં બની છે.
At least eight people have died in a dynamite blast at a railway crusher site in Hunasodu village: Shivamogga District Collector KB Shivakumar#Karnatakahttps://t.co/9JZ3qweHjK
એડીજીપીએ કહ્યું કે અમને ખ્યાલ નથી કે ટ્રકમાં વિસ્ફોટ થયો કે ટ્રકની બાજુમાં. આ ઘટના રાતે 10.15 મિનિટે બની છે. શિમોગા કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનો જિલ્લો છે. તેનાથી પહેલાં મોટા ધમાકાના કારણે અનેક ઘરના કાચ તૂટ્યા. લોકો ભૂકંપની અટકળો કરી રહ્યા હતા. અને ક સ્થાનિકોએ ઘટના બાદ ચિંતા વ્યક્ત કરવા સોશ્યિલ મીડિયાની મદદ લીધી હતી.
થોડા મહિના પહેલાં આ પ્રકારના અવાજે કર્ણાટકની રાજધાની બેંગલુરુને પણ હલાવી દીધી હતી. પછી ખ્યાલ આવ્યો કે અવાજ તો ભારતીય વાયુ સેનાના લડાકૂ જેટના પરીક્ષણ સમયે સોનિક બૂમ બેરિયરને તોડી રહ્યો છે. આ ઘટના મેમાં બની હતી અને સાથે વાયુસેનાની તરફથી કેસને ઉકેલવા માટે પહેલાથી અનેક ક્યાસ લગાવવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાને લઈને અઘિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે ઘટના વિસ્ફોટની છે.