બીજેપી ધારાસભ્ય વિશ્વેશ્વર હેગડે કાગેરી કર્ણાટક વિધાનસભાના નવા સ્પીકર ચૂંટવામાં આવ્ચા છે. વિશ્વેશ્વર હેગડે કાગેરીએ મંગળવારે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. તેમના ઉપરાંત અન્ય કોઇએ નામાંકન દાખલ કર્યું નહોતું.
અન્ય કોઇ દ્વારા નામાંકન ન દાખલ કરવાને કારણે વિશ્વેશ્વર હેગડે કાગેરીને નિર્વિરોધ સ્પીકર ચૂંટવામાં આવ્યા. કેન્દ્રીય નેતૃત્વની પસંદગીને આધારે વિશ્વેશ્વરને કર્ણાટકના સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પડી ગયા બાદ વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારે રાજીનામુ આપ્યું હતું.
ત્યારબાદ સ્પીકરના નામને લઇને ચર્ચા ગરમાઇ રહી હતી. સ્પીકરના પદને લઇને બીજેપીના વરિષ્ઠ નેતા કે જી બોપૈયાનું નામ સૌથી આગળ હતું. મુખ્યમંત્રી યેદીયુરપ્પા પણ બોપૈયાને જ સ્પીકર બનાવવાના પક્ષમાં હતા. પરંતુ કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયે તમામ ક્યાસને ફેરવી નાંખ્યા હતા.
અંતિમ સમયમાં ભાજપ ધારાસભ્ય વિશ્વેશ્વર હેગડે કાગેરીને પાર્ટીએ પોતાનો ઉમેદવાર બનાવ્યો અને એમના સિવાય આ પદ પર કોઇ અન્યને નામાંકન પણ નહોતું કર્યું. પરિણામ એ આવ્યું કે કાગેરીની એકતરફી જીત થઇ અને તે સ્પીકર ચૂંટાયા.
આ પહેલા વિશ્વેશ્વર હેગડે કાગેરી બીજેપી સરકારમાં શિક્ષા મંત્રી રહી ચૂક્યા છે. માનવામાં આવે છે કે છ વારના ધારાસભ્ય કાગેરીને ગૃહમાં હાજર તમામ પાર્ટીઓના નેતાઓ સાથે સંબંધ રહ્યો છે.
સોમવારે કેઆર રમેશકુમારે આપ્યું હતું રાજીનામુ
કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશકુમારે સોમવારે પોતાના પદથી રાજીનામુ આપ્યું હતું. સર્વસમ્મતિથી વિધાનસભા અધ્યક્ષ ચૂંટાઇ આવેલા રમેશ કુમારે 14 મહીનાઓ સુધી પદ પર રહ્યા હતા. રમેશ કુમારે સ્થાનિય ભાષા કન્નડમાં ગૃહમાં કહ્યું હતું કે, 'હું વ્યક્તિગત કારણોથી વિધાનસભા અધ્યક્ષના સમ્માનિત પદથી રાજીનામુ આપી રહ્યો છું. મેં 14 મહીનાના અધ્યક્ષ પદના કાર્યકાળ દરમિયાન સહયોગ કરવા માટે તમામ સભ્યોને ધન્યવાદ પાઠવું છું.'