કર્ણાટકના કોલાર જિલ્લાના મુલબગલમાં રામનવમીની પૂર્વ સંધ્યા પર કાઢવામા આવેલી શોભાયાત્રા પર ઉપદ્રવિયો દ્વારા પથ્થરમારો કર્યા બાદ તણાવની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી.
કર્ણાટકમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ
રામનવમી પર શોભાયાત્રામાં થયો પથ્થરમારો
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
કર્ણાટકના કોલાર જિલ્લાના મુલબગલમાં રામનવમીની પૂર્વ સંધ્યા પર કાઢવામા આવેલી શોભાયાત્રા પર ઉપદ્રવિયો દ્વારા પથ્થરમારો કર્યા બાદ તણાવની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ મુલબગલમાં કલમ 144 અંતર્ગત પ્રતિબંધો લગાવી દેવામા આવ્યા છે અને પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
શોભાયાત્રા પર પથ્થરમારો
પોલીસે જણાવ્યું છે કે, રામનવમીની પૂર્વ સંધ્યા પર આયોજીત શોભાયાત્રા શુક્રવાર બપોરે શિવકેશવ નગરમાંથી શરૂ થઈ હતી. શોભાયાત્રા જેવી જહાંદીર મહોલ્લા તરફ આગળ વધવા લાગી, અચાનક 7.40 કલાકે વિજળી કટ થઈ ગઈ અને અસામાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. ઘટનાસ્થળ પર પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો, જેનાથી સ્થિતિ કાબૂમાં આવી ગઈ. હાલમાં સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અંધારાનો ફાયદો ઉઠાવી ઘા કર્યો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, અસામાજિક તત્વોએ આ દરમિયાન બે કારના કાચ પણ તોડી નાખ્યા હતા અને એક બાઈકમાં આગ લગાવી દીધી છે. આ ઘટનામાં અમુક યુવકો ઘાયલ પણ થઈ ગયા હતા. કોલારના એસપી ડી દેવરાજે કહ્યું કે, શુક્રવારે શોભાયાત્રા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતા, પણ વિજળીનો સપ્લાઈ બંધ હોવાના કારણે અસામાજિક તત્વોએ મોકાનો ફાયદદો ઉઠાવ્યો હતો. આ મામલાની તપાસ ચાલી રહી છે.