કર્ણાટકમાં ઉભુ થયેલું રાજકીય સંકટ યથાવત્ જોવા મળી રહ્યું છે. જનતા દળ સેક્યુલર (JDs) અને કોંગ્રેસના બે ધારાસભ્યો રાજ્યની ગઠબંધન સરકારનો સાથ છોડી બેગલુરૂથી મુંબઇ આવ્યા છે.
આ નેતાઓમાંથી જેડીએસના ધારાસભ્ય નારાયણ ગૌડાએ જણાવ્યું છે કે તેઓ રાજીનામું પરત નહીં ખેંચે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટિલએ કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ જશે, રાજીનામાં બાદ તેઓ ભાજપની ટિકીટ પર ચૂંટણી લડશે.
જેડીએસના ધારાસભ્ય નારાયણ ગૌડાએ આરોપ મૂકતાં કહ્યું કે દેવગૌડાનો પરિવાર જેડીએસના ધારાસભ્યોને પરેશાન કરે છે. એક ખાનગી મીડીયા સાથે વાત કરતાં નારાયણ ગૌડાએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. નારાયણ ગૌડાએ કહ્યું સરકાર સારુ કામ કરી શકતી નથી. જો કે તેણે માત્ર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને જવાબદાર ગણાવ્યાં નથી, પરંતુ કોંગ્રેસ સરકારમાં બહુ દખલગીરી કરી રહી હોવાનું જણાવ્યું છે.
આ સાથે જ કોંગ્રેસ દ્વારા સીએમ કુમારસ્વામીને કામ નહી કરવા દેવાની પણ વાત કહી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટિલએ જણાવ્યું કે અમે રાજીનામું આપી દીધુ છે અને ભાજપમાં જોડાશું. રાજીનામું સ્વીકાર થયા બાદ અમે તરત ભાજપમાં જોડાશું.
#Karnataka Chief Minister HD Kumaraswamy and rebel Congress MLA Ramalinga Reddy hold meeting at an undisclosed location in Bengaluru. (File pics) pic.twitter.com/AmIlo35H1e
અમે ભાજપની ટીકિટ પર પેટા ચૂંટણી લડીશું. રાજીનામું સ્વીકાર થયા બાદ અમે બેંગલુરૂ પરત ફરીશું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ પર સંકટના વાદળ ઘેરાયાં છે. શનિવારે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ ત્યારે જોવા મળ્યો જ્યારે કોંગ્રેસ-જેડીએસના કુલ 13 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. હવે વિધાનસભા અધ્યક્ષ મંગળવારે આ ધારાસભ્યોના રાજીનામાંનો સ્વીકાર કરવો કે નહીં તે અંગે વિચાર કરશે.