સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ હુઝૈફા અહમદીએ દાવો કર્યો છે કે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદથી 17,000 વિદ્યાર્થિનીઓએ શાળા છોડી દીધી છે.
સુપ્રીમ કોર્ટમાં હિજાબ પ્રતિબંધને લઈને સુનાવણી
હિજાબ પ્રતિબંધના કાયદાને લઈને એડવોકેટની દલીલ
કર્ણાટક HC ચુકાદા 17,000 વિદ્યાર્થિનીઓએ શાળા છોડ્યાનો દાવો
સુપ્રીમ કોર્ટમાં હિજાબ પ્રતિબંધને લઈને બુધવારે પણ મહત્વની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ હુઝૈફા અહમદીએ દાવો કર્યો છે કે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદથી 17,000 વિદ્યાર્થિનીઓએ શાળા છોડી દીધી છે. હિજાબ પર પ્રતિબંધ મૂકાયા બાદ આ ડ્રોપ આઉટ થયું છે તે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
હિજાબ પ્રતિબંધની મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર અસર?
સુનાવણી દરમિયાન હુઝૈફા અહમદીને જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ પૂછ્યું હતું કે, શું તમારી પાસે હિજાબ પ્રતિબંધ બાદ સ્કૂલ છોડી ચૂકેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? આના પર અહમદીએ કહ્યું કે પીયુસીએલના રિપોર્ટ અનુસાર 17 હજાર વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો અને તેઓ પરીક્ષામાં પણ બેસી ન શક્યા. અહમદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે હાઈકોર્ટના ચુકાદાને કારણે ઘણી છોકરીઓ શાળાના શિક્ષણથી વંચિત રહી ગઈ છે.
રાજ્યનું કામ વિવિધતાને પ્રોત્સાહિત કરવાનું
હવે આ આંકડા રજૂ કર્યા બાદ હુઝૈફા અહમદીએ પણ વિવિધતા અંગે અનેક તર્ક-વિતર્ક રજૂ કર્યા હતા. "કોઈનો હિજાબ પહેરવાથી બીજાને ખોટું કેવી રીતે લાગે? તેઓ કહે છે કે, રાજ્યનું કામ વિવિધતાને પ્રોત્સાહિત કરવાનું છે, પ્રથાઓને અંકુશમાં લેવાનું નહીં. શા માટે કોઈને એવું લાગવું જોઈએ કે કોઈની ધાર્મિક વિધિઓ બિનસાંપ્રદાયિક શિક્ષણ અથવા એકતાને અવરોધે છે? જો કોઈ હિજાબ પહેરીને શાળાએ જાય છે, તો બીજા કોઈને ગુસ્સો શા માટે આવે? બીજા વિદ્યાર્થીને શા માટે સમસ્યા હોવી જોઈએ? જો કોઈ તેને ઉશ્કેરે છે, તો તમારે તે સમાધાન કરવું જોઈએ. નહિતર તમે કોઈને ધમકાવવાની અનુમતિ આપી રહ્યા છો. સરકાર કદાચ એવું ઇચ્છે છે કે કેમ્પસમાં આવું થાય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ વિચારસરણીને સમાવી લે છે કે શાળાઓ વિવિધતા અને આલોચનાત્મક વિચારસરણીને સ્વીકારે છે.
હિજાબ એ ધાર્મિક માન્યતાનો વિષય
આ પહેલા મંગળવારે આ કેસમાં લાંબી પૂછપરછ થઇ હતી અને અનેક પ્રકારની દલીલો કરવામાં આવી હતી. અરજદાર તરફથી હાજર રહેલા દેવદત્ત કામતે સ્પષ્ટપણે કહ્યું હતું કે હિજાબ પહેરવું કે નહીં તે ધાર્મિક માન્યતાનો વિષય છે. જ્યારે રાજ્ય તેના પર કાયદો બનાવે છે અને તેને ભૂંસી નાખવાનો પ્રયાસ કરે છે ત્યારે "ફરજિયાત ધાર્મિક કાયદા" નો પ્રશ્ન ઉભો થાય છે, ત્યારે પૂછવામાં આવે છે કે શું તે જરૂરી છે કે કેમ. બધા ધાર્મિક કાયદાઓ ફરજિયાત ન હોઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે સરકારે તેમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
ઘણા વિદ્યાર્થી ભગવા પહેરવાનું કહેશે
એક સવાલના જવાબમાં કામતે તો હદ સુધી કહી દીધું કે કાલે કેટલાક વિદ્યાર્થીઓ કહેશે કે તેમને ભગવા ગમચા પહેરવા છે. મારા મતે ભગવા ગમચા પહેરવું એ કોઈની ધાર્મિક માન્યતાઓનું સ્વાભાવિક પ્રદર્શન નથી. ઉલટાનું, તે ધાર્મિક કટ્ટરવાદનું ઇરાદાપૂર્વકનું પ્રદર્શન છે. એ એવું છે કે જો તમે હિજાબ પહેરો છો, તો હું મારી ધાર્મિક ઓળખને સુરક્ષિત રાખવા માટે પણ કંઈક પહેરીશ.