દેશના ટોચના મુસ્લિમ નેતા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કર્ણાટક હિજાબ મામલે પ્રતિક્રિયા આપી છે.
હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા પર ઓવૈસીની પ્રતિક્રિયા
કહ્યું કે હિજાબના સમર્થનમાં ચુકાદો અમારે માટે સારી વાત
હિજાબને બિનજરુરી રીતે મુદ્દો બનાવી દેવાયો
હિંદુ છોકરી મંગળસૂત્ર પહેરી શકતી હોય તો મુસ્લિમ છોકરી હિજાબ કેમ ન પહેરી શકે
હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના બે અલગ અલગમાંથી એક ચુકાદાનું અસદુદ્દીન ઓવૈસીએ સ્વાગત કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે હિજાબના સમર્થનમાં ચુકાદો અમારે માટે સારી વાત છે. તેમણે કહ્યું કે હિજાબને બિનજરુરી રીતે મુદ્દો બનાવી દેવાયો આવ્યો છે.
"If she wants to wear hijab, even inside her classroom, she cannot be stopped, if it is worn as a matter of her choice, as it may be the only way her conservative family will permit her to go to school, & in those cases, her hijab is her ticket to education," Justice Dhulia said.
હિંદુ છોકરી મંગળસૂત્ર પહેરી શકે તો મુસ્લિમ છોકરી હિજાબ શા માટે નહીં
ઓવૈસીએ એવો પણ સવાલ ઊભો કર્યો હતો કે જો હિંદુ છોકરી મંગળસૂત્ર પહેરી શકતી હોય તો મુસ્લિમ છોકરી હિજાબ કેમ ન પહેરી શકે. ઓવૈસીએ કહ્યું કે મારા મત પ્રમાણે હાઈકોર્ટનો નિર્ણય કાયદા પ્રમાણે અયોગ્ય હતો અને કુરાનની વાતોને ખોટી રીતે વાંચવામાં આવી. કર્ણાટકની બાળકીઓ એટલા માટે હિજાબ પહેરી રહી છે કે કુરાનમાં અલ્લાહે તેમને આવું કહ્યું છે. ભાજપે કોઈ પણ જાતના કારણ વગર તેને મોટો મુદ્દો બનાવી દીધો હતો. ઓવૈસીનું આ નિવેદન દેશમાં ચર્ચાસ્પદ બન્યું છે કેટલાક લોકો આ નિવેદનને સાચી માની રહ્યાં છે અને મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપવાનું જણાવ્યું હતું.
मेरे हिसाब से हाई कोर्ट का निर्णय क़ानून के मामले में खराब था और क़ुरआन की बातों को गलत तरह से पढ़ा। कर्नाटक की बच्चियां इसलिए हिजाब पहन रही क्योंकि क़ुरआन में अल्लाह ने उन्हें कहा है। BJP ने बिना जरूरत के इसे मुद्दा बनाया:हिजाब पर सुप्रीम कोर्ट के फैसले पर असदुद्दीन ओवैसी, AIMIM pic.twitter.com/t7afRU4ATq
I was expecting a unanimous judgement in favour of girls going to school in Karnataka wearing hijab. Justice Sudhanshu Dhulia said that wearing a hijab is ultimately a matter of choice. The judgment by one of the judges from SC was in favour of hijab: AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/VrEdcltatp
વિવિધતા બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ
ઓવૈસીએ કહ્યું કે સમાનતાનો અર્થ એ નથી કે વિવિધતા નાબૂદ થવી જોઈએ. જો બાળકો શાળામાં ભણવા જતા હોય તો તેમને તમામ ધર્મના બાળકો જોવા મળશે. વિવિધતા બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. "શાળાઓમાં શીખોને પાઘડી પહેરવાની છૂટ છે. સિંદૂર પહેરીને, મંગળસૂત્ર પહેરીને લોકો શૈક્ષણિક સંસ્થાઓમાં આવી શકે છે. તો શા માટે કોઈ હિજાબ પહેરીને ન આવી શકે? બંધારણમાં આપવામાં આવેલા અધિકારને આપણે શાળાના દરવાજે જ છોડી દઈએ છીએ?
હિજાબ મામલે શું ચુકાદો આપ્યો કર્ણાટક હાઈકોર્ટે
હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના બે જસ્ટિસે અલગ અલગ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તાએ કર્ણાટક સરકારના હિજાબ પ્રતિબંધના નિર્ણયને યથાવત રાખ્યો અને હાઈકોર્ટના ચુકાદા સામેની અપીલ રદ કરી નાખી તો જસ્ટિસ ધુલિયાએ ચુકાદા સામેની તમામ અપીલ સ્વીકારીને કર્ણાટક હાઈકોર્ટના હિજાબ પ્રતિબંધના નિર્ણયને રદ કરી નાખ્યો. હવે આ કેસ ચીફ જસ્ટિસ સામે રાખવામાં આવશે.