હિજાબ વિવાદ મામલામાં કર્ણાટક હાઈકોર્ટમાં મંગળવારે ચુકાદો સંભળાવશે. મુસ્લિમ છોકરીઓ સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવાને લઈને કોર્ટમાં સવારે 10.30ની આસપાસ ચુકાદો સંભળાવી શકે છે. ચુકાદા પહેલા 21 માર્ચ સુધી બેંગલુરૂમાં સાર્વજનિક સ્થળો પર તમામ પ્રકારની સભા, આંદોલન, વિરોધ અથવા સમારંભ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.
તો વળી આ નિર્ણયને ધ્યાને રાખીને કલબુર્ગીમાં સોમવાર સાંજે 8 વાગ્યાથી 19 માર્ચની સવાર 6 વાગ્યા સુધી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 15 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ પણ આપ્યા છે. બેલગામ અને ચિક્કબલ્લાપુરામાં પણ કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
Karnataka High Court to pronounce judgment in Hijab row case today.
Visuals from Udupi city; Sec 144 imposed in Udupi and other districts of the state. District Magistrate Kurma Rao M had y'day announced that all schools & colleges in the district will remain closed on March 15. pic.twitter.com/aPZ3usa1t5
આપને જણાવી દઈએ કે, ઉડ્ડપીની છોકરીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર 9 ફેબ્રુઆરીએ મુખ્ય ન્યાયાધીશ રિતૂ રાજ અવસ્થી, ન્યાયમૂર્તિ કૃષ્ણા એસ દીક્ષિત અને ન્યાયમૂર્તિ જેએમ ખાજીની હાઈકોર્ટે પૂર્ણ પીઠનું ગઠન કર્યું હતું. છોકરીઓએ અરજીમાં કહ્યું કે, ક્લાસની અંદર હિજાબ પહેરવાની મંજૂરી આપવી જોઈએ, કારણ કે, આ તેમની આસ્થાનો ભાગ છે.
આ અગાઉ 1 જાન્યુઆરીએ, ઉડ્ડપીની એક કોલેજના અધિકારીઓ દ્વારા હિજાબના કારણે ક્લાસમાં પ્રવેશ કરતા રોક્યા બાદ 6 વિદ્યાર્થિનીઓએ કેમ્પસ ફ્રંટ ઓફ ઈંડિયા દ્વારા આયોજીત એક પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો અને કોલેજના આદેશનો વિરોધ કર્યો હતો, ત્યાર બાદ ભારે હોબાળો મચી ગયો હતો.
હિજાબ વિવાદ કેટલાય રાજ્યોમાં પહોંચ્યો
અહીં ઉલ્લેખનીય છે કે, હિજાબ વિવાદ કર્ણાટકમાંથી બહાર નિકળીને અન્ય કેટલાય રાજ્યમાં પહોંચી ગયો છે. હજૂ એક દિવસ પહેલા અલીગઢના શ્રી વાર્ષ્ણ ડિગ્રી કોલેજમાં હિજાબને લઈને વિદ્યાર્થિનીઓને કોલેજ ગેટ પર રોકી દેવામાં આવી હતી અને ડ્રેસ કોડનું પાલન કરવા કહેવામાં આવ્યું હતું, તેના પર અમુક વિદ્યાર્થિનીઓને હિજાબ ઉતારવાની ના પાડી દીધી હતી અને ઘરે પાછી જતી રહી હતી. કોલેજના આચાર્યએ કોલેજના ડ્રેસ કોડનું પાલન કરવા જણાવ્યું હતું.
ચુકાદા પર કોઈ પણ પ્રકારના જશ્ન પર પ્રતિબંધ લગાવ્યો
ચુકાદો આવે તે પહેલા શિવમોગાના ડીસી આર સેલ્વામણિએ જિલ્લામાં મંગળવારે સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. તેમણે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે જિલ્લામા સીઆરપીસી આદેશની કલમ 144 લાગૂ કરી દીધી છે. આ આદેશ મંગળવારે સવારે 6 વાગ્યાથી 21 માર્ચ રાતના 10 વાગ્યા સુધી લાગૂ રહેશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપરાંત કોઈ પણ કોલેજ કે શાળા પરિસરમાં આવી શકશે નહીં.
આ ઉપરાંત ચુકાદાને લઈને કોઈ પણ પ્રકારના જશ્ન પર પણ રોક લગાવી દેવામાં આવી છે. શિવમોગાના એસપીએ કહ્યું છે કે, શિવમોગામાં આઠ કેએસઆરપી બટાલિયન, 6 ડીએઆર, 1 આરએએફની ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે.