કર્ણાટક હાઈકોર્ટે એક કપલના છૂટાછેડા કેસમાં એક ટીપ્પણી કરી કે જો પતિ તેની પત્નીને ફક્ત ખાલી આવકનું સાધન માનતો હોય તો તે માનસિક ક્રૂરતા છે.
છૂટાછેડા કેસમાં કર્ણાટક હાઈકોર્ટની ટીપ્પણી
પતિ પત્નીની ખાલી આવકનું સાધન ન માની શકે
પતિનું આવું માનવું માનસિક ક્રૂરતા
કર્ણાટક હાઈકોર્ટે એક દંપતીને છૂટાછેડા લેવાની મંજૂરી આપી છે, કારણ કે પતિ તેની પત્નીને માત્ર "આવકનું સાધન" માને છે તેવું સામે આવ્યું છે. જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ જે એમ કાઝી તથા જે એમ કાઝીની ડિવિઝન બેન્ચે તાજેતરના એક ચુકાદામાં જણાવ્યું હતું કે, પતિ દ્વારા પોતાની પત્નીને માત્ર આવકના સ્ત્રોત તરીકે ગણવી એ ક્રૂરતા છે. મહિલાએ પોતાના બેંક ખાતા અને અન્ય દસ્તાવેજોની વિગતો સોંપી હતી, જે મુજબ તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પતિને 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
પતિએ પત્નીને ફક્ત 'દૂઝણી ગાય' ગણી
ખંડપીઠે કહ્યું, "તે સ્પષ્ટ છે કે પ્રતિવાદી (પતિ) અરજદારને માત્ર આવકનો સ્ત્રોત (રોકડ ગાય) તરીકે ગણતો હતો અને તેની સાથે કોઈ ભાવનાત્મક જોડાણ નહોતું. પ્રતિવાદીનું વલણ પોતે જ એવું હતું, જેના કારણે અરજદારની માનસિક તકલીફ અને ભાવનાત્મક સતામણી થઈ હતી, જે માનસિક ક્રૂરતા માટેનો આધાર બનાવે છે. મહિલાએ દાખલ કરેલી ડિવોર્સની અરજીને ફેમિલી કોર્ટે 2020માં ફગાવી દીધી હતી, જે બાદ તેણે નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને એમ કહીને રદબાતલ ઠેરવ્યો હતો કે, ફેમિલી કોર્ટે અરજદાર (પત્ની)ની અરજી ન સાંભળીને મોટી ભૂલ કરી છે.
પત્નીએ નોકરી કરીને સાસરિયાનું દેવું ચૂકવ્યું
આ દંપતીએ 2019 માં ચિકમગાલુરુમાં લગ્ન કર્યા હતા. 2001માં તેમને એક પુત્ર જન્મયો હતો. ત્યાર બાદ અણબનાવ વધતા તેમણે બન્નએ અલગ પડવાનું નક્કી કર્યું હતું અને તેમણે બન્નેએ 2017માં છૂટાછેડા માટે અરજી કરી હતી. મહિલાએ એવી દલીલ કરી હતી કે તેના પતિનો પરિવાર આર્થિક સંકડામણમાં છે, જેના કારણે પરિવારમાં ઝઘડાઓ થાય છે. મહિલાએ જણાવ્યું કે તે સંયુક્ત અરબ અમીરાતમાં કામ કરતી હતી અને પરિવારનું દેવું ચૂકવી દીધું હતું. તેણે પતિના નામે ખેતીની જમીન પણ ખરીદી હતી, પરંતુ તે વ્યક્તિ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાને બદલે તેની પત્નીની આવક પર પણ આધાર રાખતો હતો અને મને ખાલી આવકનું સાધન ગણતો હતો. હાઈકોર્ટે પત્નીની આ દલીલ સ્વીકારી અને છૂટાછેડા મંજૂર કરતા આવો ચુકાદો આપ્યો હતો.