સિંગલ બેન્ચનાં જસ્ટિસ નાગપ્રસન્નાએ 30 નવેમ્બર, બુધવારે નિર્ણય આપતાં PFI નાં બેન વિરૂદ્ધની અરજી ફગાવી દીધી છે. પીએફઆઇ કર્ણાટક એકમનાં અધ્યક્ષ નાસિર પાશાએ યૂએપીએ અંતર્ગત PFI પર પ્રતિબંધ લગાવવાનાં કેન્દ્રનાં નિર્ણયને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી જે કર્ણાટક હાઇકોર્ટે નામંજૂર કરી છે.
હાઇકોર્ટે PFI ની અરજીને ફગાવી
PFI અધ્યક્ષ નાસિર પાશાની અરજી કોર્ટે કરી નામંજૂર
વૈશ્વિક આતંકી સમૂહો સાથે 'લિંક' હોવાનો આરોપ
કર્ણાટક હાઇકોર્ટે PFI (પોપ્યુલર ફોન્ટ ઓફ ઇન્ડિયા)પર લાગેલા પ્રતિબંધને પડકાર દેતી અરજી નામંજૂર કરી છે. તિહાડ જેલમાં બંધ પીએફઆઇનાં કર્ણાટક એકમનાં અધ્યક્ષ નાસિર પાશાએ 27 ઑક્ટોબરનાં રોજ અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી કરતાં કર્ણાટક હાઇકોર્ટે 28 નવેમ્બરનાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખેલ હતો. સિંગલ બેન્ચનાં જસ્ટિસ નાગપ્રસન્નાએ બુધવારે 30 નવેમ્બરનાં રોજ યાચિકાને ફગાવી દીધેલ છે.
Karnataka | Nasir pasha, PFI State President's petition challenging Centre's ban on PFI dismissed in Karnataka High Court. pic.twitter.com/mGhANvQHiP
PFI કાર્યકર્તાઓની કરી હતી ધરપકડ
સપ્ટેમ્બરમાં NIAની આગેવાની હેઠળ તપાસ એજન્સીઓએ કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં દરોડા પાડ્યાં અને પીએફઆઇનાં કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધાં હતાં. આ દરમિયાન 11 રાજ્યોમાં મોટી સંખ્યામાં પીએફઆઇનાં કાર્યકર્તાઓ પર દેશમાં આતંકવાદી ગતિવિધિઓને સમર્થન કરવાનાં આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, અસમ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, પોંડીચેરી અને રાજસ્થાનમાં કેટલાક કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું.
વૈશ્વિક આતંકી સમૂહો સાથે 'લિંક' હોવાનો આરોપ
સરકારે ISI જેવાં વૈશ્વિક આતંકી સમૂહો સાથે 'લિંક' હોવાનો આરોપ લગાડતાં પીએફઆઇ અને તેના કેટલાક સહયોગી સંગઠનોને 28 સપ્ટેમ્બરનાં મોટા આતંકવાદ વિરોધી કાયદા UAPA અંતર્ગચ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધેલ હતું. સંગઠનનાં ઘણાં કાર્યકર્તાઓ અને નેતાઓની ધરપકડ કરી જેલમાં બંધ પણ કરવામાં આવ્યું હતું. આ બાદ એજન્સી