કર્નાટક કેબિનેટે જસ્ટીસ નાગમોહન દાસ સમિતિનાં રીપોર્ટની ભલામણો અનુસાર રાજ્યમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓ માટે અનામતને વધારવાને લઈને મંજૂરી આપી દીધી છે. કર્ણાટકમાં અનુસુચિત જાતિ માટેના અનામતને તરત જ 15થી વધારીને 17 ટકા અને અનુસુચિત જનજાતિનાં અનામતને 3 ટકાથી વધારીને 7 ટકા કરવાનો સરકારનો આદેશ જાહરે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાયદા મંત્રીનું એલાન
કર્ણાટકનાં કાયદા મંત્રી જેસી મધુસ્વામીએ કહ્યું કે આંતરિક અનામતનાં સંબંધમાં કાયદા મંત્રીની અધ્યક્ષતામાં એક ઉપસમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનામત વધારવાના સંબંધમાં સરકારનો આદેશ એક - બે દિવસમાં અવી જશે.
આ નિર્ણયથી શિક્ષા અને ભરતીમાં મદદ મળશે અને અનુસુચિત જાતિ તથા જનજાતિ વધારે સશક્ત બનશે. અનુસુચિત જાતિની હેઠળ ૧૦૩ અને અનુસુચિત જનજાતિ હેઠળ ૫૬ અથવા ૫૭ જાતિઓ છે. જણાવવામાં આવ્યું કે આ સમુદાયોની ઉપેક્ષા ન કરી શકાય.
ಎಸ್. ಟಿ. ಸಮುದಾಯದ ಮೀಸಲಾತಿಯನ್ನು ಹೆಚ್ಚಳ ಮಾಡುವಂತ ನಿರ್ಣಯವನ್ನು @BJP4Karnataka ಕೋರ್ ಕಮಿಟಿ ತೆಗೆದುಕೊಂಡು, ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ಸರಕಾರ ಆದೇಶ ಮಾಡಬೇಕು ಎಂದು ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @BSBommai ಅವರನ್ನು ಆಗ್ರಹಿಸಿದೆ. @BJP4India ಎಂದೂ ಎಸ್ಸಿ ಮತ್ತು ಎಸ್ಟಿ ಸಮುದಾಯದ ಹಿತಚಿಂತನೆಯನ್ನು ಬದ್ಧತೆಯಾಗಿಸಿಕೊಂಡ ಪಾರ್ಟಿ. pic.twitter.com/CzvjhOo0BA
સીએમનું નિવેદન
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ શનિવારે કહ્યું કે, હું ખુદને ધન્ય અનુભવું છું કેમકે મને એસટી / એસસી માટે અનામત વધારવાનો અવસર મળ્યો. અમારા બધા જ પ્રયાસો માનવતા તરફ હોવા જોઈએ. ધર્મ માનવતા સુધી પહોંચવા માટે વાહન સ્વરૂપ છે. જો તેઓ આ સમજી લેશે તો રાજ્યમાં જ નહીં પણ દુનિયામાં પણ પ્રેમ અને સ્નેહ વધશે. આપણા દેશને એક સંસ્કૃતિની જરૂર છે. દરેક નાગરિકની સંસ્કૃતિ, વારસો અને ઈતિહાસનાં આધાર પર કોઈપણ દેશનું મુલ્ય વધે છે.
ಮನುಷ್ಯ ಸಂಘ ಜೀವಿ, ಆತ ದೀರ್ಘಕಾಲ ಏಕಾಂಗಿಯಾಗಿರಲು ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ.ನಾವು ಹುಟ್ಟುವಾಗ ಯಾವ ಜಾತಿ,ಧರ್ಮಗಳು ನಮ್ಮಲ್ಲಿರುವುದಿಲ್ಲ. ಆದರೇ ಬೆಳೆಯುತ್ತಾ ಎಲ್ಲಾ ಜಾತಿ,ಧರ್ಮ,ಪಂಗಡ,ಉಪ ಪಂಗಡಗಳು ಆವರಿಸಿಕೊಳ್ಳುತ್ತವೆ. ಈ ಜಾತಿ,ಧರ್ಮವೆಂಬ ಸಾಮಾಜಿಕ ಶ್ರೇಣಿಯನ್ನು ಸೃಷ್ಟಿಸಿರುವುದು ಸಹ ಮನುಷ್ಯನೇ ಆಗಿದ್ದಾನೆ. pic.twitter.com/5JCIt6KxPf
આવી રીતે આવશે બદલાવ
રાષ્ટ્રીય બસવ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત 'સર્વધર્મ સંસ્થાન 2022'નું ઉદ્ઘાટન કર્યાં બાદ સીએમએ કહ્યું કે જ્યારે બદલાવ લાવવા માટે સમાન અવસર આપવામાં આવે, તો તેઓ પોતાની તાકાત અને ક્ષમતા અનુસાર સામે આવશે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ સંભવ નથી જો તેમને અવસરોથી વંચિત રાખવામાં આવશે અને તેઓ પીડિત રહેશે તથા પેઢીઓ સુધી સમસ્યાઓનો સામનો કરતા રહેશે.