દેશભરમાં NEET અને JEE પરીક્ષાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે કોલેજો ખોલવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કેસ બુધવારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ડૉ. અશ્વથ નારાયણ સીએને જાહેરાત કરી હતી કે, આગામી 1 ઓક્ટોબરથી તમામ કોલેજ ફરી શરૂ થશે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે, આ વખતે શૈક્ષણિક સત્ર 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન વર્ગ દ્વારા શરૂ થશે, પરંતુ ઓક્ટોબરમાં ઓફલાઇન વર્ગ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ કેન્દ્ર સરકાર તરફથી ઓફલાઇન વર્ગોની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે.