અમદાવાદઃ સમસ્ત રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે 1985થી ચૂંટણી લડી ત્યારે રાજપૂત સમાજના લોકો ઓછા હતા. રાજપૂત સમાજના લોકો રાજનીતિમાં ભાગ લે. આગામી સમયમાં રાજ્યમાં ભવ્ય ભવાની મંદિર બનાવાશે.
વધુમાં તેમણે કહ્યું કે પટેલ ઊમિયા માંના નામે એકઠા થાય છે તો આપણ ભવાની માંના નામે એકઠા થવું જોઇએ. રાજપૂત સમાજમાં અંદરોઅંદરની લડાઇની કારણે એકતા તૂટી રહી છે. આપણું માથુ માં ભવાની અને વડીલોની સામે નમવું જોઇએ.
અમદાવાદ જિલ્લા સમસ્ત રાજપૂત સંમેલનમાં રાજપૂત સમાજનાં પ્રમુખ કાનભા ગોહિલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજપૂત સમાજને રાજકીય સન્માન મળવું જોઈએ. ગાંધીનગર લોકસભા બેઠક રાજપૂત સમાજ માટે ખાલી કરાય તેવી માગ કરી હતી.