કર્ણાટકમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ બાદ આજે વિધાનસભાની કાર્યવાહી આવતી કાલે સવારે 11 વાગ્યા માટે સ્થગિત કરી દેવામાં આવી છે.જ્યારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે બીજેપીના તમામ ધારાસભ્યો ગૃહમાં જ સુઇ જશે. તમામ ભાજપ ધારાસભ્યો અહીં જ રહેશે.
છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાં ગઠબંધન સરકાર પર રાજકીય સંકટ તોળાઇ રહ્યું છે. આજે ગુરુવારે કર્ણાટકમાં દિવસ દરમિયાન અવિશ્વાસ મત પર ચર્ચા યોજાઇ હતી. કર્ણાટક સંકટ પર વિધાનસભામાં અવિશ્વાસ મત યોજાવાના હતા પરંતુ વિધાનસભાની કાર્યવાહી આવતી કાલ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ છે. એટલે કે આજે વિશ્વાસ મત પર વોટિંગ નહીં થઇ શકે. બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ દાવો કરી રહી છે કે તેમની પાસે બહુમત છે. જ્યારે આંકડો બતાવી રહ્યો છે કે બીજેપી હાલ જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનથી આગળ નજરે પડી રહી છે.
કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ છે. ત્યારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુપ્પાએ કહ્યું કે બીજેપીના તમામ ધારાસભ્યો ગૃહમાં જ સુઇ જશે. જ્યાં સુધી વિશ્વાસ મત પર નિર્ણય નથી લેવાઇ જતો, અમે દિવસ અને રાત્રી ગૃહમાં જ રહીશું. તમામ ધારાસભ્યો અહીં જ રહેશે.
કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'જો અમે વિશ્વાસમત પર આગળ વધીએ છીએ, વ્હિપ લાગૂ થાય છે, અને એ (બળવાખોર ધારાસભ્યો) સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગૃહમાં નથી આવતા તો, ગઠબંધન સરકારને ઘણું નુકશાન થશે.' બીજેપી પ્રતિનિધિમંડળે કર્ણાટકના રાજ્યપાલને મુલાકાત કરી આગ્રહ કર્યો કે વિશ્વાસમત પર તાત્કાલિક વોટિંગ કરવામાં આવે. કોંગ્રેસ-JDS સરકાર જાણી જોઇએ વોટિંગ ટાળવાની કોશિશ કરી રહ્યા છે.
આ દરમિયાન કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે કર્ણાટક વિધાનસભામાં કહ્યું કે, પૂર્વ મુખ્યમત્રી હોવાને નાતે, વિપક્ષનો નેતા હોવાના નાતે તદે (બીજેપીના નેતા બી.એસ.યેદીયુરપ્પા) દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આજે કર્ણાટકમાં વિશ્વાસ મત પહેલા ચર્ચા દરમિયાન કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી દ્વારા હોબાળો મચાવવાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.
કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર બની છે, ત્યારથી જ આ સરકાર પર ખતરો મંડરાયેલો છે. જો કે કોંગ્રેસ જેડીએસ ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર જોખમ વધારે વધી ગયું છે. એવામાં હવે વિશ્વાસ મતની નોબત આવી ચુકી છે. રાજનીતિજ્ઞોનો દાવો છે કે કર્ણાટક સરકાર પડી શકે છે.
224 સભ્ય વાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામામા ડ્રામા પહેલા ભાજપના 105 સભ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ 75+1 (સ્પીકર) અને જેડીએસના 37 સભ્યો હતા. જો કે હવે ધારાસભ્યોના રાજીનામા બાદ સમીકરણ હાલની સરકાર માટે બગડી ગયા છે. બળવાખોર ધારાસભ્યોના કારણે ભાજપના સભ્યોની સંખ્યા વિધાનસભામાં એટલી જ છે, પરંતુ કોંગ્રેસ અને જેડીએસને આ મામલે નુકસાન ઊઠાવવું પડી શકે છે કારણ કે કોંગ્રેસના હવે 65+1 (સ્પીકર) અને જેડીએસના 34 ધારાસભ્યો જ બચ્યા છે. જેના કારણે બંને પાર્ટીઓનો કુલ આંકડો વિધાનસભામાં ભાજપથી ઓછો આવી રહ્યો છે. આ ઉપરાંત કર્ણાટકમાં નિર્દલીય 2, બીએસપીનો એક અને નૉમિનેટેડ એક સભ્યો હાજર છે.
આ ઉપરાંત ગુરુવારે 15 ધારાસભ્યોના વિધાનસભા નહીં પહોંચવા પર આખું સમીકરણ જ બદલાઇ જશે. કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભામાં ત્યારે કુલ 209 સભ્ય રહી જશે. તો બીજી બાજુ સત્તારૂઢ સંખ્યા બળ ઘટવાને કારણે બહુમત સાબિત કરવામાં પરેશાનીનો સામનો કરી શકે છે. આ સ્થિતિનો ફાયદો ઊઠાવતા ભાજપ નિર્દલીય ધારાસભ્યોની મદદથી સરકાર બનાવવામાં સક્ષમ રહેશે.