કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમારસ્વામીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વિશ્વાસ મત સાબિત કરવા માટે તેમને આજ સાંજ સુધીનો સમય આપ્યો હતો. જો કે દિવસભરની ચર્ચા બાદ હવે કુમારાસ્વામીએ બહુમતિ ન હોવાની વાત કરી છે.
શું છે સમગ્ર મામલો?
કર્ણાટકમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલુ રાજકીય ઘમાસાણ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું. આજે બપોરે 1:30 વાગ્યે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો હતો, પરંતુ ડેડલાઈન પાર થઇ ગઇ છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સ્પીકરને અપીલકરી કે સોમવાર સુધી ફ્લોર ટેસ્ટ ટાળી દેવામાં આવે, ત્યારે ભાજપ આ માટે તૈયાર નથી.
ભાજપ કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ કહ્યું કે, સોમવાર એચડી કુમારસ્વામી સરકારનો અંતિમ દિવસ હશે. તેમની પાસે સંખ્યાબળ નથી. તે એવા લોકોને સરકાર બનાવવા પણ નથી દઇ રહ્યા જેમની પાસે સંખ્યાબળ છે. અમારી પાસે કુલ 106 ધારાસભ્ય છે. સુપ્રીમ કોર્ટે પહેલા જ કહી ચૂકી છે કે મુંબઇમાં રહેતા ધારાસભ્યોને જબરદસ્તી સદનમાં હાજર રહેવા ન કહી શકો.
1.30 વાગ્યાની ડેડલાઈન પૂર્ણ
કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળાની વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. વિધાનસભામાં આજે પણ ફ્લોર ટેસ્ટ નથી થયો, જ્યારે રાજ્યપાલને જે 1:30 વાગ્યાની ડેડલાઇન આપી હતી તે પાર થઈ ગઈ છે.
મહત્વનું છે કે, કર્ણાટકમાં રાજકીય સંકટ હજુ પણ ટળ્યું નથી. વિધાનસભા સ્પીકરે સદન સોમવાર સુધી સ્થગિત કરી દીધી છે. હવે ફ્લોર ટેસ્ટ પર મતદાન સોમવારે જ સંભવ છે.
આ સ્થિતિ વચ્ચે ભાજપે અને કોંગ્રેસ-જેડીએસ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે દિવસથી જે રીતે વિધાનસભામાં કાર્યવાહી ચાલી રહી છે તેનાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, કોંગ્રેસ અને જેડીએસ બંને જ વિશ્વાસમત પર મતદાન કરાવવા જ નથી માંગતા. તેમને લાગે છે કે, સરકાર પાસે જરૂરી બહુમતનો આંકડો નથી.