કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકારનુ શું થશે? આ સવાલનો જવાબ આજે દરેક લોકોને મળી શકે છે. વિધાનસભામાં ચાલી રહેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા આજે ખતમ થઇ શકે છે. જ્યાર બાદ મતદાન થશે. એવામાં કુમારસ્વામી સરકાર પોતાની સરકાર બચાવી શકશે કે નહીં, તેની પર દરેક લોકોની નજર છે.
હજી ઘણાં ધારાસભ્યો આપશે રાજીનામાઃ
કર્ણાટક વિધાનસભામાં બોલતા ડીકે શિવકુમારે કહ્યું કે, બીજેપીએ સ્વીકાર કરી લેવું જોઇએ કે આ સૌની પાછળ તે જ છે. તેઓએ એ સ્વીકાર કરી લેવો જોઇએ કે તે બાગી ધારાસભ્યોનાં સંપર્કમાં છે અને ઓપરેશન લોટસ ચલાવી રહેલ છે. ફ્લોર ટેસ્ટનાં પહેલા બીજેપીનાં બીએસ યેદિયુરપ્પાએ એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, હાલમાં હજી 2-3 ધારાસભ્યો રાજીનામા આપશે અને ભાજપ જોઇન કરશે.
સદન નથી પહોંચ્યાઃ
BSP ધારાસભ્ય બસવા ધારાસભ્ય એન. મહેશ આજે પણ વિધાનસભામાં નથી પહોંચ્યા. તમને જણાવી દઇએ કે બસપા પ્રમુખ માયાવતીએ પોતાનાં ધારાસભ્યને કર્ણાટક સરકારનાં હકમાં મતદાન કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ ત્યાં સુધી તેઓ સદનમાં નથી પહોંચ્યા. કુમારસ્વામી સરકારની સામે પહેલેથી જ બહુમત જોડાવાની ચેલેન્જ છે. ત્યારે એવામાં જો તેઓ નથી આવ્યા તો તે મુશ્કેલી હજી વધી શકે છે.
કુમારસ્વામીનાં 'ત્યાગ'થી આ રીતે બચી શકે છે સરકાર, આ 4 ધારાસભ્ય પલ્ટી શકે છે કર્ણાટકની ગેમઃ
કર્ણાટકમાં એચડી કુમારસ્વામીનાં નેતૃત્વવાળી જનતા દળ સેક્યુલર-કોંગ્રેસ ગઠબંધન સરકાર માટે સોમવારનાં રોજ અગ્નિપરીક્ષાનો દિવસ છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે કે જ્યાં કુમારસ્વામી સરકારને બહુમત સાબિત કરવાનો છે. આ પહેલા કર્ણાટકનાં સંકટમોચક માનવામાં આવતા મંત્રી ડીકે શિવકુમારે ગઠબંધન સરકાર બચાવવા માટે આખરે ચાલ ચાલી છે.
બાગી ધારાસભ્યોને રાજી કરવા માટે સીએમ કુમારસ્વામીનાં સ્થાન પર કોઇ અન્ય મુખ્યમંત્રી બનાવી શકાશે. કર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. ત્યારે તે પૂર્વે રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારે કહ્યું કે JDS સરકાર બચાવવા કોઈપણ ત્યાગ આપવા માટે તૈયાર છે.
એટલું જ નહીં કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છે. શિવકુમારનું માનીએ તો JDSએ આ મામલે અમારા હાઈકમાન્ડ સાથે વાત કરી છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલા શિવકુમારનું આ નિવેદન શું સરકાર બચાવી શકશે?
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપવાનું શરૂ કર્યું હતું ત્યારથી સરકાર સંકટમાં આવી ગઈ હતી. તે સમયે 4 ધારાસભ્યોએ કહ્યું હતું કે જો સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળશે તો તે રાજીનામું પરત ખેંચી લેશે અને સરકારને સમર્થન આપશે. આમ શિવકુમારનું આ નિવેદન સરકાર બચાવી શકે છે કે પછી સરકાર પડી જશે તે તો ફ્લોર ટેસ્ટ બાદ જ જાણી શકાશે.
આમ આજે કર્ણાટક વિધાનસભામાં ફલોર ટેસ્ટ થવા જઇ રહ્યો છે ત્યારે બળવાખોર ધારાસભ્યો સરકારના પક્ષમાં મત નહીં કરે તો એચડી કુમારસ્વામીની સરકારનો આજે અંતિમ દિવસ થઇ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ અને જેડીએસ તરફથી સરકારને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. એવા સમયે કુમારસ્વામી માટે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરી સરકાર બચાવવા આ અંતિમ રસ્તો છે.